[ad_1]
હાઈલાઈટ્સ:
- નવા વેરિયન્ટ સામે લડવા માટે મહારાષ્ટ્ર દ્વારા જરુરી પગલા ભરવાનું શરુ
- શું ગુજરાતમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ફેરફાર કરાશે
- મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવા માટેની તૈયારીઓ કરાઈ
લોકડાઉન અને એ પછીના સમયમાં મહારાષ્ટ્રે કોરોનાના કારણે ઉભી થયેલી કપરી સ્થિતિ જોઈ છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ તરફ ગુજરાત અને આફ્રિકાના દેશો વચ્ચેના વેપાર સહિતના સંબંધોને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરુરી પગલા ભરવા માટે જણાવ્યું હતું તે પ્રમાણે ગુજરાત સરકાર મહત્વના પગલા ભરી શકે છે.
ગુજરાતમાં આગામી વર્ષે વાઈબ્રન્ટ સમિટ યોજાશે, આ કાર્યક્રમમાં વિદેશના મહેમાનો અને રોકાણકારો ભાગ લેશે ત્યારે કેટલાક જરુરી નિયમો પણ બનાવવા પડશે. આવામાં આફ્રિકાના દેશોમાંથી આવનારા લોકો પર રોક લગાવવામાં આવશે કે શું તે અંગે આગામી સમયમાં જરુરી નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે, કોરોનાની સ્થિતિમાં યોજાઈ રહેલી આ કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં મોલ, દુકાન, મેળાવડા, ટિકિટવાળી કે ટિકિટ વગરની ઈવેન્ટ પર આવતા લોકોએ રસીના બે ડોઝ લીધેલા જરુરી હોય તે સુનિશ્ચિત કર્યા પછી જ એન્ટ્રી આપવા અંગેનો નિયમ બનાવ્યો છે. આ સિવાય લોકોએ કોરોના ફેલાય નહીં તે માટે કડક રીતે ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર, કંડક્ટર કે મુસાફરો અને ઓફિસોમાં કોઈ વ્યક્તિ કોરોનાના નિયમોનો ભંગ કરશે કે માસ્ક વગર દેખાશે તો દંડ કરવામાં આવશે.
આ અંગે સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે, નવા નિયમો પ્રમાણે લોકોને કોરોનાની રસીના બે ડોઝ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યમાં 97 લાખ લોકો એવા છે કે જેમને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. બીજો ડોઝ લીધા પછીનું સર્ટિફિકેટ યોગ્ય પુરાવો માનવામાં આવશે. આવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા લોકોએ રસીના બે ડોઝ લેવા જરુરી છે. આ સિવાયના લોકોને 500 રૂપિયાનો દંડ થશે.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના ઘણાં જિલ્લાઓમાં રસીકરણ સારી રીતે પૂર્ણ કરવા માટે જરુરી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
[ad_2]
Source link














Leave a Reply