[ad_1]
હાઈલાઈટ્સ:
- પીયૂષ કોઈ પણ સમારોહ-પ્રસંગમાં રબરના ચપ્પલ પહેરીને જતો હતો
- છિપટ્ટી વિસ્તારમાં પરફ્યુમના વેપારીઓના ઘણા આલીશાન મકાનો
- છેલ્લા 15 વર્ષમાં પરિવારની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ
- પીયૂષ જૈનની ધરપકડ, અત્યાર સુધી 250 કરોડથી વધુની રોકડ જપ્ત
લોકોના જણાવ્યા અનુસાર પીયૂષના પિતા મહેશ ચંદ્ર જૈન વ્યવસાયે કેમિસ્ટ છે. માતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. મહેશ પાસેથી જ તેમના પુત્રો પીયૂષ અને અંબરીશે પરફ્યુમ અને ખાદ્ય ચીજવસ્તુઓમાં ઉપયોગ કરવા માટે એસેન્સ કેવી રીતે બનાવવું તે શીખ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં પીયૂષના પરિવારની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ પહેલા પરિવાર પાસે જૈન સ્ટ્રીટ પરના હાલના મકાનનો માત્ર એક નાનો ભાગ હતો.
જયપુરથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા
જ્યારે આર્થિક પરિસ્થિતિ બદલાઈ ત્યારે નજીકના બે મકાનો ખરીદીને એકમાં મર્જ કરવામાં આવ્યા. એવો પણ દાવો કરાયો છે કે, લગભગ 700 સ્ક્વેર યાર્ડના આ ઘરને બનાવવા માટે જયપુરથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. જાડી દિવાલો, મોંઘા એર-કન્ડિશનર, સ્ટીલની બાલ્કની અને દરવાજા આ ઘરને બાકીના ઘરોથી સાવ અલગ બનાવે છે. આટલો મોટો બિઝનેસ અને જોખમ હોવા છતાં ઘરના કોઈપણ બાહ્ય ભાગમાં એક પણ સીસીટીવી ફૂટેજ નથી. ઘર પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બીજા મકાનમાંથી જોતા બાલ્કની સિવાયક કશું દેખાતું નથી.
કનૌજના ઘરમાં રહે છે સ્ટાફ
મહેશચંદ્ર જૈન અને તેમનો સ્ટાફ મુખ્યત્વે આ મકાનમાં રહે છે. પીયૂષ અને અંબરીશ અવારનવાર અહીં આવતા હતા. પાડોશીઓના કહેવા પ્રમાણે આ પરિવાર ખૂબ જ નમ્ર છે, પરંતુ તેઓ ભાગ્યે જ કોઈ પ્રસંગોમાં જોવા મળે છે. પીયૂષ ઘણી વખત પાયજામો અને ચપ્પલ પહેરીને લગ્નમાં પહોંચતો હતો. પીયૂષ અને અંબરીશને 6 પુત્ર અને પુત્રી છે. બધા કાનપુરમાં ભણે છે અને ભાગ્યે જ કન્નૌજ અવર-જવર કરતા હોય છે. એક સ્થાનિકના કહેવા પ્રમાણે ભલે બહારના લોકો પીયૂષ અને તેના પરિવારના ‘સ્ટેટસ’નો અંદાજો લગાવી શકતા નહોતા, પરંતુ કન્નૌજમાં બિઝનેસ લોબીમાં પીયૂષ અને અંબરીશનું નામ પૂરા ‘સન્માન’ સાથે લેવામા આવતું હતું.
સાક્ષીઓ પર પ્રશ્નો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 24 ડિસેમ્બરના રોજ DGGI ટીમ બે સાક્ષીઓને તેમની સાથે જૈનના ઘરે તલાશી માટે લઈ જવા માંગતી હતી, પરંતુ વિસ્તારમાં કોઈ પણ એવું કરવા માટે રાજી ન થયું. સ્થળ પર આવેલા બે વ્યક્તિઓ નેમ સિંહ યાદવ અને અમિત દુબે આ માટે સંમત થયા. નેમ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીમાં અને અમિત દુબે ભાજપમાં લાંબા સમયથી સક્રિય છે. અત્યંત સંવેદનશીલ મામલામાં બે રાજકીય વ્યક્તિઓના પરિવહન પર પણ અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. કરોડોની રોકડ રકમ અને દાગીના મળવાના કેસમાં પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી પીયૂષ જૈનના ઠેકાણા પરથી 250 કરોડથી વધુની રોકડ રકમ અને જ્વેલરી મળી આવી છે.
[ad_2]
Source link














Leave a Reply