[ad_1]
હાઈલાઈટ્સ:
- ફાયર બ્રિગેડની ટીમે ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
- આગ લાગવાની ઘટના બનતા જ ટ્રેનના જુદા-જુદા કોચમાં સવાર પેસેન્જર્સે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
- જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી લઈને છત્તીસગઢના દુર્ગ તરફ જઇ રહેલી આ ટ્રેનના AC કોચ A1 અને A2માં ભીષણ આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, દુર્ગ ઉધમપુર એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે મધ્યપ્રદેશના મુરૈનાના હેતમપુર સ્ટેશન પર પહોંચી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગવાની ઘટના બની હતી. થોડી જ વારમાં આ ટ્રેનના ચારેય કોચ આગની જ્વાળાઓની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાની ઘટના બનતા જ ટ્રેનના જુદા-જુદા કોચમાં સવાર પેસેન્જર્સે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
ટ્રેનમાં આગ લાગવાની ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રેનના તમામ પેસેન્જર્સ સમયસર ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા અને કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર હજુ સુધી જાણવા મળ્યા નથી.
વધુ મળતી જાણકારી અનુસાર, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી લઈને છત્તીસગઢના દુર્ગ તરફ જઇ રહેલી આ ટ્રેનના AC કોચ A1 અને A2માં ભીષણ આગ લાગી હતી. ટ્રેનમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા યાત્રીઓ સામેલ હતા. ઘટનાસ્થળે હાજર લોકોના કહેવા અનુસાર, અનેક યાત્રીઓએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. અહીં નોંધનીય છે કે મુસાફરોના જણાવ્યા અનુસાર, ટ્રેનના A1 કોચમાં લાગેલી આગે થોડી વારમાં જ અન્ય કોચને પણ લપેટમાં લઈ લીધો હતો અને કોચ ધુમાડાથી સળગવા લાગ્યો હતો. સદનસીબે આગની જાણ થતા જ સમયસર ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ત્યાં સુધીમાં તો મુસાફરો પણ તેમના ડબ્બામાંથી બહાર કૂદી પડ્યા હતા.
[ad_2]
Source link














Leave a Reply