[ad_1]
હાઈલાઈટ્સ:
- ગત સત્રમાં રાજ્યસભામાં હંગામો કરનારા 12 સાંસદો સસ્પેન્ડ.
- ખેડૂત આંદોલન અને ઘણા અન્ય મુદ્દાને લઈને કર્યો હતો હંગામો.
- સાંસદોએ ઉપ-સભાપતિ હરિવંશ પર ફેંક્યા હતા કાગળો.
આ એ જ સાંસદો છે, જેમણે ગત સત્રમાં ખેડૂત આંદોલન તેમજ અન્ય ઘણા મુદ્દાના બહાને સંસદના ઉપલા ગૃહમાં ઘણો હંગામો કર્યો હતો. એ દરમિયાન આ સાંસદોએ ઉપ-સભાપતિ હરિવંશ પર કાગળ ફેંક્યા હતા અને સંસદના કર્મચારીઓની સામે રાખેલા ટેબલ પર ચઢી ગયા હતા. આ સાંસદો પર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી, જેના પર રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ નિર્ણય લેવાનો હતો.
આજે જ્યારે સંસદ સત્ર ફરીથી શરૂ થયું તો સભાપતિ એમ, વેંકૈયા નાયડુએ પોતાના ફેંસલો સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં આ વિપક્ષી સાંસદોના ખૂબ જ અમર્યાદિત વ્યવહારનો ઉલ્લેખ કરતા સભાપતિ ભાવુક થઈ ગયા હતા. એટલે આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, આ સંબંધો કોઈ મોટો નિર્ણય લેવાશે.
તેમણે જે સાંસદો સામે કડક કાર્યવાહી કરી છે, તેમાં એકલા કોંગ્રેસના છ સાંસદ સામેલ છે. આ સાંસદોમાં ફુલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસેન અને અખિલેશ પ્રતાપ સિંહ.
કોંગ્રેસના આ સાંસદો ઉપરાંત સીપીએમના એલમરમ કરીમ, સીપીઆઈના વિનય વિશ્વમ, ટીએમસીના શાંતા છેત્રી અને ડોલા સેન જ્યારે શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈને પણ રાજ્યસભાની કાર્યવાહીમાંથી આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.
બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?
[ad_2]
Source link














Leave a Reply