maharashtra govt: કોરોનાના નવા વેરિયન્ટથી એક્શનમાં ઉદ્ધવ સરકાર, રસી નહીં લેનારને મહારાષ્ટ્રમાં ‘No Entry’ – maharashtra govt declared new guidelines due to new variant of cororna

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નવા વેરિયન્ટને લઇને કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્ય સરકારોને ચેતવણી આપી હતી
  • મહારાષ્ટ્ર સરકારે નવા વેરિયન્ટને મુદ્દે રાજ્યમાં ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે નિયમો લાગુ કર્યા
  • મહારાષ્ટ્રમાં આવતાં વિદેશી નાગરિકો માટે કેન્દ્રના નિયમોને લાગુ કર્યા

મુંબઇઃ કોરોના વાયરસના નવા વેરિયન્ટને લીધે દુનિયાભરના દેશો પર ફરી એકવાર ચિંતાના વાદળ ઘેરાવા લાગ્યા છે. કોરોના વાયરસનો નવો ઘાતક વેરિયન્ટ હાલમાં દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગમાં જોવા મળ્યો છે. પરંતુ વિશ્વસ્તરે આ વેરિયન્ટને લઇને ચિંતા વધી રહી છે, એવામાં ગુરુવારે ભારત સરકારે પણ આ દેશોમાંથી આવતાં કે આ દેશોના રસ્તે આવનારા તમામ મુસાફરોની ફરજિયાત સ્ક્રીનિંગ પર જોર આપ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટને લઇને કેન્દ્ર સરકારની રાજ્યોને આપેલી ચેતવણી બાદ હવે મહારાષ્ટ્ર સરકાર સક્રિય બની છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે નવા અને કડક નિયમો લાગુ કરી દીધા છે. કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે, જેની પર કંટ્રોલ કરવા માટે રાજ્ય સરકારે એનુ પૂરુ જોર લગાવી દીધું હતું.

હાલમાં કોરોનાના નવા વેરિયન્ટને લઇને અપાયેલી ચેતવણી બાદ શનિવારે મહારાષ્ટ્ર સરકારે પણ નવા પ્રતિબંધો અને મંજુરીઓને મુદ્દે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોથી આવતાં એવા લોકો પર પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો છે જેમણે કોરોનાની રસી લીધી નથી. આ સિવાય રાજ્યમાં એન્ટ્રી લેતાં વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નિયમોને લાગુ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટ્રાવેલર્સ વેક્સીનના બંને ડોઝથી સુરક્ષિત હશે તો જ રાજ્યમાં એન્ટ્રી મળશે અથવા તેમની પાસે 72 લાકનો RT-PCR રિપોર્ટ હોવો જરુરી છે.

આ સિવાય રાજ્યમાં પણ કોરોના નિયમોને લાગુ કરવામાં આવ્યા છે. અહીંના થિએટર્સ, હોલ, મેરેજ હોલ, કન્વેન્શન હોલ વગેરેને 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત રહેવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે જાહેર સ્થળો પર યોજાતા ઇવેન્ટ કે ગેટ ટુ ગેધર માટે પણ આજ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નિયમો મુજબ કોઇ કાર્યક્રમમાં લોકોની સંખ્યા 1 હજારથી વધુ હશે તો આયોજકોએ આ અંગે સ્થાનિક પ્રશાસનને જાણ કરવાની રહેશે.

કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સાથે જોડાયેલા નિયમોના પાલન નહીં કરનારા લોકો પર દરેક વખતે 500 રુપિયા દંડ જોગવાઇ લાગુ કરવામાં આવી છે. જો કોઇ સંસ્થામાં વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે તો એને 500 રુપિયા દંડ અને કંપની કે સંસ્થા પર 10,000 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય વારંવાર નિયમોની અવગણના કરનારી સંસ્થાને આગામી આદેશ સુધી બંધ કરવાના નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે.

આ સિવાય રાજ્યભરમાં ટેક્સી કે ખાનગી વાહનમાં કે બસમાં નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવ્યું તો ડ્રાઇવર, હેલ્પર કે કંડક્ટર પર દંડ લાગશે અને બસના કેસમાં ઓનર ટ્રાન્સપોર્ટ એજન્સી પર 1000 રુપિયાનો દંડ લાગશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટે દુનિયાભરમાં ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. આ અઠવાડિયે આ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટના કેસ બોત્સવાના સહિત આસપાસના દેશોમાં પણ ફેલાયો છે. આ વેરિયન્ટથી કોરોના રસીના બે ડોઝ લઇ ચૂકેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 છે જેને બોત્સવાના વેરિયન્ટ પણ કહેવામાં આવે છે.
અનેક દેશોમાં જોવા મળ્યો નવો કોરોના વેરિયન્ટ, કેન્દ્રએ રાજ્યોને કર્યા એલર્ટકોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર, બ્રિટને આફ્રિકાથી આવતી ફ્લાઈટો પર રોક લગાવીકોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે મીટિંગ, PM મોદીએ કહ્યું- ઈન્ટરનેશનલ ફ્લાઈટ અંગે ફરી રિવ્યુ કરો

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *