local bodies obc quota: OBC અનામતનો મુદ્દો ફરી ગરમાયો, સરકાર કેમ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે? – why is the government preparing to go to the supreme court over obc reservation case?

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પંચાયતની ચૂંટણીઓમાં ઓબીસી અનામતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો
  • સુપ્રીમ કોર્ટે પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત પર રોક લગાવતાં કેન્દ્ર સરકાર પુનર્વિચાર અરજી કરશે
  • ધર્મેન્દ્ર પ્રધાને એક ટ્વીટમાં કહ્યું કે, મધ્ય પ્રદેશ સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે

સુપ્રીમ કોર્ટે હાલમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સરકારોને પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટે નક્કી કરેલ 27 ટકા અનામતને ખતમ કરી દીધું હતું. સ્થાનિક નિગમોમાં ઓબીસીને અનામતની મંજૂરી માટે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવા જઈ રહી છે. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, આ પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે.

બીજેપીના પ્રમુખ ઓબીસી ચહેરા ધર્મેન્દ્ર પ્રધાને એક ટ્વીટમાં કહ્યું કે, મધ્ય પ્રદેશ સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે. તેઓને પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામતને દાખલ કરવાની આ કાનૂની લડાઈમાં સામેલ ન હોવાને લઈને ઓડિશા સરકાર પર નિશાન સાધ્યું છે. થોડા દિવસ પહેલાં સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રાલયે કહ્યું હતું કે, આ સંબંધમાં રાજ્યોના સંવિધાનના પ્રાવધાનો અનુસાર સ્થાનિક નિગમોની ચૂંટણીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી નિર્ધારિત તમામ માપદંડોનું પાલન કરવું જોઈએ. મંત્રાલયે કહ્યું કે તે સ્થાનિક નિગમો અને નગર નિગમોમાં ઓબીસી અનામતને મંજૂરી આપવા માટે એસસી સમક્ષ પુનર્વિચાર અરજી દાખલ કરવા પર વિચાર કરી રહ્યા છે.

આ માપદંડોમાં રાજ્યમાં સ્થાનિક નિગમોના સંબંધમાં એક આયોગની સ્થાપના કરવું પણ સામેલ છે. બીજા તબક્કામાં આ આયોગની ભલામણો અનુસાર આવશ્યક અનામતની ટકાવારીને સ્પષ્ટ કરવાનું છે. ત્રીજી શરત એ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે આરક્ષિત સીટોની સંખ્યા કુલ સંખ્યાના 50 ટકાથી વધારે ન હોવું જોઈએ.
સિદ્ધુ સાથે મુલાકાતના 9 દિવસ બાદ નિવૃત્તિ! રાજકારણની પિચ પર જોવા મળશે ભજ્જી?
કેન્દ્રએ કહ્યું કે, તે આ મામલાને લઈને ગંભીર છે અને પંચાયતી રાજ મંત્રાલય, સંસદીય કાર્ય મંત્રાલય, કાનૂની મામલાઓના વિભાગ અને ગૃહ મંત્રાલય સહિત હિતધારકોની સલાહને ધ્યાનમાં રાખતાં આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં મહારાષ્ટ્રાના રાજ્ય ચૂંટણી આયોગને પંચાયતની ચૂંટણીમાં 27 ટકા સીટોને સામાન્ય શ્રેણી તરીકે અધિસૂચિક કરવાનો નિર્દેશ કર્યો હતો જે ઓબીસી માટે આરક્ષિત હતી. જે બાદ કોર્ટે મધ્ય પ્રદેશમાં સ્થાનિક નિગમમાં અન્ય પછાત વર્ગ માટે અનામત સીટો પર ચૂંટણી પ્રક્રિયા રોકવા અને આ સીટોને સામાન્ય વર્ગ માટે ફરીથી અધિસૂચિત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચને આદેશ કર્યો હતો. જો કે આ મુદ્દે હવે રાજનૈતિક પ્રક્રિયાએ પણ સામે આવવા લાગી છે. ભાજપના સીનિયર નેતા ઉમા ભારતીએ દાવો કર્યો કે ઓબીસી અનામત વગર મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી રાજ્યની લગભગ 70 ટકા આબાદી સાથે અન્યાય હશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *