kanpur: કાનપુરમાં અત્તરના વેપારીના ઘરે ITનો દરોડો, પકડાયા 150 કરોડથી વધુ રૂપિયા – kanpur: more than 150 crore cash recovered in it raid on businessman piyush jain

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઉત્તર પ્રદેશના કનોજમાં અત્તરવાળી ગલીમાં વેપાર અત્તરનો વેપાર કરતા પીયુષ જૈનના કાનપુરમાં આવેલા ઘરે દરોડો પડાયો.
  • પીયુષ જૈનના ઘરેથી તિજોરીઓ ભરીને રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા.
  • પહેલા ડીજીજીઆઈએ દરોડો પાડ્યો હતો અને બાદમાં મોટી રકમ મળતા આવકવેરા વિભાગને સામેલ કરાયું હતું.

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અત્તરના વેપારી અને સમાજવાદી પાર્ટીના નેતાના ઘરે આવકવેરા વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં વેપારીના ઘરેથી 150 કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ રૂપિયા ગણવામાં અધિકારીઓને 24 કલાક કરતા વધુ સમય લાગ્યો હતો.

પીયુષ જૈન નામના આ વેપારીના કાનપુરમાં આવેલા ઘર પર ડીજીજીઆઈ અને ઈનકમ ટેક્સએ ગુરુવારે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન તિજોરીઓ ભરીને રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. 24 કલાક કરતા વધુ સમય આ દરોડો ચાલ્યો હતો.
ડે. કલેક્ટર મયંક પટેલ પર સતામણીનો આરોપ મૂકનાર મહિલા અધિકારીએ સમાધાન કર્યું
જાણકારી મુજબ, પહેલા આ દરોડો અમદાવાદની ડીજીજીઆઈ એટલે કે ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સએ દરોડો પાડ્યો હતો, પરંતુ જ્યારે પીયુષ જૈનના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો તો દરોડામાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સામેલ કરાયું હતું. નોટોને ગણવા માટે ચાર મશીન મંગાવવા પડ્યા હતા. આ નોટોને લઈ જવા માટે 6થી વધુ સ્ટીલના મોટા-મોટા બોક્સ મંગાવવા પડ્યા હતા.

સમાજવાદી પાર્ટીના નેતા પીયુષ જૈન કનોજની અત્તરવાળી ગલીમાં પોતાનો અત્તરનો વેપાર કરે છે. તેમની કન્નોજ, કાનપુરની સાથે મુંબઈમાં પણ ઓફિસ છે. આવકવેરા વિભાગને પીયુષ જૈનની લગભગ 40થી વધુ એવી કંપનીઓની માહિતી મળી છે, જેના દ્વારા તેઓ પોતાનો અત્તરનો વેપાર ચલાવી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મુંબઈમાં ઘણા સ્થળોએ દરોડા પડાવામાં આવ્યા હતા. ગુરુવારે ઉત્તર પ્રદેશમાં શિખર બ્રાન્ડ પાન મસાલા અને તંબાકુ પ્રોડક્ટ્સ બનાવતી ત્રિમૂર્તિ ફ્રેગ્રેન્સીસની માલિકીની કંપની પર દરોડો પડાયો હતો અને તે પછી પીયુષ જૈનનું નામ બહાર આવ્યું હતું. આ ઉપરાંત કાનપુરમાં ગણપતિ રોડ કેરિયર્સની ઓફિસ અને ગોડાઉન પર પણ દરોડો પડાયો હતો.

પીયુષ જૈનના ઘરે દરોડો પાડ્યા પછી વિજિલન્સની ટીમ કનોજ પહોંચી હતી. પીયુષ જૈનના બે દીકરાને લઈને ટીમ અહીં પહોંચી હતી. જ્યાં ગુરુવારે સીલ કરાયેલા મકાનના તાળા ખોલી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સોપારીના વેપારી કેકે અગ્રવાલના સ્થળો પર દરોડા પડાયા હતા.
પંજાબ: લુધિયાણાની કોર્ટમાં થયેલા બોંબ વિસ્ફોટમાં પાકિસ્તાનનું કનેક્શન હોવાની આશંકા
GST વિભાગના જણાવ્યા અનુસાર, શિખર પાન મસાલા ફેક્ટરીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈ-વે બિલ જનરેટ કરવું પડતું નથી, આ માટે નકલી પેઢીના નામે 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતના નકલી ઇનવોઇસ બનાવવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટર પાસે પાર્ક કરેલી 4 ટ્રકમાંથી 200 નકલી ઈનવોઈસ પણ મળી આવ્યા છે. ફેક્ટરીમાં સ્ટોક તપાસતા, કાચા માલ અને તૈયાર માલ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ચેરમેન વિવેક જોહરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, સીબીઆઈસીના ઈતિહાસમાં આ સૌથી મોટી રિકવરી છે. તેમણે કહ્યું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

જોરદાર! અમદાવાદીઓને દાઢે વળગ્યો ‘કુલ્લડ પીઝા’નો યુનિક ટેસ્ટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *