jitu waghani on corona’s false death toll: ‘કોરોનાના ખોટા મૃત્યુઆંક જાહેર કરી ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે’, જીતુ વાઘાણીના કોંગ્રેસ પર ચાબખા – jitu waghani lashes out at congress over corona’s false death toll

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લીધા આડે હાથ
  • રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોરોનાકાળમાં થયેલા મૃત્યુઆંક ખોટા જાહેર કર્યાઃ વાઘાણી
  • જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીએ રજૂ કરેલા મૃત્યુઆંકને તદ્દન ખોટા ગણાવ્યા હતા

અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન થયેલા મૃત્યુઆંક દર્શાવતા ભાજપના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી ગુસ્સે ભરાયા છે. રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન 3લાખ જેટલાં મૃત્યુ થયા હોવાના આંકડા જાહેર કર્યા હતા, જેને જીતુ વાઘાણીએ તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીના આ આક્ષેપો પર કડક ટિપ્પણી કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આવા બેજવાબદારીભર્યા નિવેદનો આપીને ગુજરાતને બદનામ કરવાનું તેઓએ બંધ કરવું જોઈએ. રાજ્ય સરકાર આ સાંખી લેશે નહીં.

ભાજપના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં થયેલા એક-એક મૃત્યુ મામલે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને રહેશે. રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુદર ઓછો રહ્યો છે. રાજ્યમાં 10,088 જેટલાં નાગરિકોનું કોરોનાકાળમાં મૃત્યુ થયુ છે. આ મામલે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કર્યુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટ જે દિશા નિર્દેશો કરશે એ મુજબ રાજ્ય સરકાર સહાય ચૂકવશે.
રાજસ્થાનના મંત્રીએ એન્જિનિયરને કહ્યું, ‘કેરટિના કૈફના ગાલ જેવા રોડ બનાવો’
જીતુભાઈ વાઘાણીએ એવું પણ કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં 14,028, પંજાબમાં 16,553, રાજસ્થાનમાં 8,945, છત્તીસગઢમાં 13,552 અને આપ શાસિત દિલ્હીમાં 25,091 નાગરિકોનાં કોરોનાકાળમાં મોત થયા છે. જેની સામે ગુજરાતમાં 10,088 મોત થયા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મોતના આંકડા જે રાહુલ ગાંધીએ જાહેર કર્યા છે એ પણ હવે ખટા છે એવું તેઓએ મીડિયા સમક્ષ જાહેર કરવું જોઈએ.
SCએ કાન આમળતાં ગુજરાત સરકારે કોરોના સહાય આપવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક કરી
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, જોરથી અને ખોટુ બોલવું એ કોંગ્રેસનો હવે સ્વભાવ થઈ ગયો છે. ત્યારે આવા અભ્યાસ વિહોણા અને પાયા વિહોણા નિવેદનો કરીને ગુજરાતની જનતાની લાગણી મેળવવા માટે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે એને પ્રજા હવે ઓળખી ગઈ છે. રાજ્ય સરકારની કામગીરીથી પ્રજાને સંતોષ છે અને રહેશે. એટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવાના સપના જોવાનું કોગ્રેસે બંધ કરવું જોઈએ.

કોરોનાકાળ દરમિયાન જે મોત થયા છે તેને WHO અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન જે લોકોનાં મોત અન્ય બીમારીથી થયા છે એને કોરોનાના મૃત્યુમાં ખપાવીને આંકડો મોટો બનાવવાનો કોંગ્રેસે હીન પ્રયાસ કર્યો છે. જે અત્યંત નિંદનીય છે.

બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *