[ad_1]
હાઈલાઈટ્સ:
- જામનગરમાં રહેતા દીપકભાઈ કિશોરભાઈ ત્રિવેદીએ પ્રસરાવી માનવતાની મહેક
- બ્રેન સ્ટોક આવ્યા બાદ તબીબોએ દીપકભાઈને જાહેર કર્યા હતા બ્રેઈન ડેડ
- પરિવારે હૃદય, લીવર, આંખો અને કિડનીનું દાન કરવાનો લીધો અનોખો નિર્ણય
વાત એવી છે કે, જામનગરમાં રહેતા દીપકભાઈ કિશોરભાઈ ત્રિવેદી નામના યુવકને બ્રેન સ્ટોક આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. આ વાત જાણીને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એ પછી પરિવાર દ્વારા દીપકભાઈ ત્રિવેદીના અંગોનું દાન કરવાનો અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એ પછી પરિવારે દીપકભાઈ ત્રિવેદીના હૃદય, લીવર, બે કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. દીપકભાઈનું લીવર ઝાડયસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે. જ્યારે બંને આંખોનું દાન અનુદાન રાજકોટ આઈબેન્કમાં કરાશે. આ સિવાય અન્ય દર્દીઓને 2 કિડીનીઓનું દાન કરવામાં આવશે. બ્રેઈન ડેડ દીપકભાઈના અંગો ચાર વ્યક્તિઓને નવજીવન આપશે.
પરિવારનો અંગ દાનનો અનોખો નિર્ણય
જામનગરના બ્રેઈન ડેડ દીપકભાઈ ત્રિવેદીના અંગોનું દાન કરવાનો અનોખો નિર્ણય તેમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવવા માટે રવાના થઈ હતી. જેમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે ધબકતુ હૃદય માત્ર સાડા છ જ મિનિટમાં એરપોર્ટ ખાતે પહોંચાડીને અમદાવાદ લવાયું હતું. પરિવાર દ્વારા જે અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એનાથી ચાર જેટલા વ્યક્તિઓને નવજીવન મળશે. મહત્વનું છે કે, સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ પણ બે વખત ડોનેટ થયેલી કિડની અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. જ્યારે હૃદય અને લીવરનું પ્રથમવાર દાન કરવામાં આવ્યું હતું.
કોમામાં હોય તેવી વ્યક્તિનું નથી થતુ અંગ દાન
મહત્વની વાત છે કે, આંખોને છોડીને બાકીના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ કરી શકાય કે જ્યારે જે તે વ્યક્તિનું હૃદય ધબકતું હોય. ભલે એ વ્યક્તિના મગજે કામ કરવાનું બંધ કરી દીધુ હોય પણ હૃદયનું દાન કરી શકાય છે. જ્યારે શરીરના બીજા અંગો કામ કરી રહ્યા હોય અને બ્રેઈને કામ કરવાનું બંધ કરી દીધુ હોય ત્યારે તે વ્યક્તિને બ્રેઈન ડેડ માનવામાં આવે છે. માથામાં થતી ગંભીર ઈજા, ટ્યૂમર કે લકવાના કારણે બ્રેઈન ડેડ અને કોમામાં ખાસો એવો ફરક હોય છે. કોમામાં ગયેલી વ્યક્તિ ક્યારેક નોર્મલ થઈ શકે છે, પરંતુ બ્રેઈન ડેડ વ્યક્તિ ક્યારેય સાજી થઈ શકતી નથી. એટલે એમ કહી શકાય કે, અંગ દાન બ્રેઈન ડેડ વ્યક્તિનું જ થઈ શકે છે, કોમામાં હોય તેવી વ્યક્તિનું નહીં.
પંજાબ, યુપીમાં ચૂંટણી ટાણે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત ખેંચ્યા
[ad_2]
Source link
Leave a Reply