gujarat night curfew: રાજ્યના 8 મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ, ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું – night curfew extended till december 31 in 8 cities of gujarat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યના આઠ મહાનગરોમાં લાગુ કરવામાં આવેલ નાઈટ કર્ફ્યુ લંબાવાયો
  • 31 ડિસેમ્બર 2021 સુધી રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે
  • રાત્રિના 1થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિની પુનઃસમીક્ષા કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં લાગુ કરવામાં આવેલ નાઈટ કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી રાજ્યના આ આઠ મહાનગરોમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે.

night curfew 1

ઓમિક્રોનનો ભય! ગેરકાયદે બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે લોકો, ડોક્ટર્સે આપી ચેતવણી
ગુજરાતના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે. સરકારે અગાઉ જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર નાઈટ કર્ફયુ દરમિયાન રેસ્ટોરન્ટ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તથા લગ્નમાં ખુલ્લા તથા બંધ સ્થળોએ 400 લોકોને છૂટ અપાઉ હતી. અને સિનેમા હોલ 100% ક્ષમતા પર કામ કરી શકે છે. ઉપરાંત જીમ 75% ક્ષમતા બગીચા અને ઉદ્યાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ઓમિક્રોનના ભય અને નિરાશા વચ્ચે ત્રણ સારા સમાચાર જગાવી રહ્યા છે આશા
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 13 કેસો, રવિવારે એકસાથે 6 કેસ
ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજ્યમાં એક જ દિવસે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 6 દિવસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ કેસોનો આંક 13 પર પહોંચ્યો છે. રવિવારે નોંધાયેલાં 6 કેસોમાંથી ગાંધીનગરમાં લંડનથી આવેલો 15 વર્ષીય સગીર પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં ટાન્ઝાનિયાથી સારવાર માટે આવેલું દંપત્તિ ઓમિક્રોન પોઝિટિવ આવતાં તેઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયું હતું. તેમજ સુરત અને રાજકોટમાં 1-1 વ્યક્તિ જ્યારે બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો આણંદનો યુવક ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાથી સારા સમાચાર
ઓમિક્રોન વિશે દક્ષિણ આફ્રિકાથી સારા સમાચાર છે. ડેટા દર્શાવે છે કે લોકો આ ચેપથી વધુ ગંભીર નથી થઈ રહ્યા, અને માત્ર થોડા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે અને થોડી સંખ્યામાં લોકોને ઓક્સિજનની જરૂર છે. આ એવા સમયે છે જ્યારે દેશના મોટા ભાગના લોકો સંપૂર્ણ રીતે રસી લગાવી શક્યા નથી. આ સાથે જોડાયેલા સમાચાર શેર કરતા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ લખ્યું કે તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહીએ પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. અહેવાલ સૂચવે છે કે ઓમિક્રોનના કેસોમાં ઝડપી વૃદ્ધિના પ્રમાણમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ થયા નથી, જે રાહતની બાબત છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન પ્રકાર પ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયો હતો અને અત્યાર સુધીમાં આ વેરિયન્ટ વિશ્વના 90 દેશોમાં ફેલાયો છે અને સોમવારે સવાર સુધી ભારતમાં 157 કેસ નોંધાયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *