[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં કોરોના અને તેની સાથે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધ્યા
- લાંબા સમય પછી રાજ્યમાં એક જ દિવસમાં 100થી વધારે કેસ આવ્યા છે
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો ફરી કડક બની શકે છે
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને લઈને સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન પણ નિયમો કડક કરવા અંગે રજૂઆતો થઈ હતી અને તેના પર ચર્ચાઓ કરાઈ હતી. આવામાં હવે સરકાર આગામી દિવસોમાં તહેવારોમાં બેદરકારીના લીધે કોરોના હાવી બની જાય તેવી સ્થિતિને રોકવાના પ્રયત્નો કરવામાં આવશે. આવામાં માસ્ક પહેરવાના નિયમો, લગ્ન પ્રસંગમાં મહેમાનોની હાજરી, મરણ પ્રસંગમાં હાજર રહેનારા લોકોની સંખ્યા વગેરે પર વિચાર કરવામાં આવી શકે છે. કોરોનાના કેસ ફરી બેકાબૂ બની જાય તે પહેલા તેના પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે દેશના ઘણાં એક્સપર્ટ્સ પણ સલાહ આપી ચુક્યા છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ જરુરી છે તેના પર પણ બેઠક દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય નિયમો કડક કરવાથી પણ લોકો બેદરકારી દાખવવાનું બંધ કરશે તે દિશામાં પણ પગલા ભરવામાં આવી શકે છે.
ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો થવાનું શરુ થઈ ગયું છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 30 પર પહોંચી ગઈ છે.
ગુજરાતઃ દૈનિક કેસ ફરી 100ને પાર, 2નાં મોત
ગુજરાતમાં ઘણાં લાંબા સમય પછી એક જ દિવસમાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 111 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. ગુરુવારે નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે. જે પછી બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે સુરત (18) અને વડોદરા (11) આવે છે. 24 કલાકમાં રાજ્યમાં 78 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. નવા રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 668 પર પહોંચી ગયો છે.
[ad_2]
Source link






Leave a Reply