[ad_1]
હાઈલાઈટ્સ:
- પંજાબના પઠાણકોટમાં ફરી એક વાર હુમલો, આર્મી કેમ્પ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ
- બાઈક પર આવેલા બે શખ્સો ગ્રેનેડ બ્લાસ્ટ કરીને ઘટના સ્થળેથી ફરાર
- બ્લાસ્ટ બાદ પઠાણકોટ અને પંજાબના તમામ પોલીસ નાકાઓ અલર્ટ પર
જ્યારે આ ગ્રેનેડ હુમલો થયો તો ત્યારે જોરદાર ધડાકો થયો હતો. જે બાદ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણ થતાં જ સુરક્ષાબળ ઘટના સ્થળે પહોંચ્યુ હતુ. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસ અને સુરક્ષા એન્જસીઓ હાઈ અલર્ટ થઈ ગઈ છે. પોલીસ ફોર્સે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
પોલીસ ચોકીઓ પણ અલર્ટ પર
અધિકારીઓનું માનીએ તો, આ ગ્રેનેડ બ્લાસ્ટ મોટો હુમલો ગણાવી શકાય છે. કારણ કે આર્મી કેમ્પ વિસ્તારમાં સેના અને ચુસ્ત સુરક્ષા હોય છો. આવામાં કોઈ શખ્સ અહીં ગ્રેનેડ લઈને આવે છે અને બ્લાસ્ટ કરીને ત્યાંથી ભાગી જાય છે. આ ગ્રેનેડ બ્લાસ્ટ પછી પઠાણકોટ અને પંજાબના તમામ પોલીસ નાકાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ચેકિંગ પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
પઠાણકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આ એક મોટો ગ્રેનેડ હુમલો છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, એક બાઈક પસાર થઈ અને બરાબર એ જ સમયે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને અમને આશા છે કે સીસીટીવી ફૂટેજમાંથી કોઈ પુરાવા મળી શકે છે.
મહત્વપૂર્ણ વિસ્તારોમાંનો એક છે પઠાણકોટ
મહત્વનું છે કે, પઠાણકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ વિસ્તારોમાંનો એક છે. અહીં વાયુ સેના સ્ટેશન, સેનાનો દારૂ ગોળો ડેપો અને આર્મ્ડ બ્રિગેડ તથા આર્મ્ડ યૂનિટ્સ છે. જાન્યુઆરી 2016માં પઠાણકોટ વાયુ સેના સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો. પઠાણકોટ વાયુ સેના સ્ટેશન પર મોટી સંખ્યામાં દારૂ ગોળા સાથે સજ્જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે આ અથડામણમાં સેનાના 8 જવાન શહીદ થયા હતા.
કેપ, ગોગલ્સ, ટીશર્ટ અને ટ્રાઉઝર વરુણ ધવનનો બોય્ઝ માટે કૂલ ફેશન મંત્ર
[ad_2]
Source link
Leave a Reply