cryptocurrency: ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે? કોઈનસ્વિચ કુબેરના સીઈઓએ જણાવી મહત્વની વાત – ceo of coinswitch kuber said important things on cryptocurrency bill

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીને લઈને એક બિલ રજૂ કરવા જઈ રહી છે.
  • તેને લઈને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓમાં ચિંતા ઊભી થઈ ગઈ છે.
  • સરકારના આ બિલને લઈને ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનસ્વિચ કુબેરના સીઈઓ આશિષ સિંઘલે કેટલાક સવાલોના જવાબ આપ્યા.

નવી દિલ્હી: સરકાર ક્રિપ્ટોકરન્સી પર ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’ લાવવાની છે. આ બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. એવી જાણકારી સામે આવી છે કે, આ બિલમં દેશમાં બધી પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે. એવામાં જો આ બિલ સંસદમાં પસાર થઈ ગયું તો બિટકોઈ જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અહેવાલ સામે આવ્યા પછી ક્રિપ્ટોમાં ટ્રેન્ડ કરનારામાં ચિંતા ફેલાઈ ગઈ છે. રોકાણકારોની આ ચિંતાને દૂર કરવા માટે ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનસ્વિચ કુબેરના સીઈઓ આશિષ સિંઘલે બુધવારે એક લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કેટલાક મહતવના સવાલોના જવાબ આપ્યા.

બિલનો ખરેખર અર્થ શું છે?
સિંઘલે કહ્યું કે, આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પણ ક્રિપ્ટો બિલને લઈને ચર્ચા થઈ હતી. ત્યારે પણ ક્રિપ્ટોને પ્રતિબંધિત કરવાની વાત ઉઠી હતી અને રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પરંતુ, ત્યારથી અત્યાર સુધી ઘણો ફેરફાર થઈ ચૂક્યો છે. કેમકે, હવે લોકોમાં ક્રિપ્ટોને લઈને વધુ જાણકારી છે. ઈન્ડસ્ટ્રી સતત ગ્રો થઈ છે અને થઈ રહી છે. ઘણા ભારતીય, જુદા-જુદા ક્રિપ્ટો એક્સચેન્જો સાથે જોડાઈ ચૂક્યા છે. જૂનું બિલ, ક્રિપ્ટોને લીગલ ટેન્ડરની જેમ ટ્રીટ કરી રહ્યું હતું. પરંતુ હવે અમે લોકોને સમજાવ્યું છે કે, તે કરન્સી નહીં પરંતુ ક્રિપ્ટો એસેટ છે. જ્યાં સુધી બિલની વાત છે તો હજુ સુધી સ્પષ્ટ રીતે એ નથી જાણી શકાયું કે બિલમાં ખરેખર શું છે?
મોટાભાગની ક્રિપ્ટોકરન્સી આવનારા સમયમાં અદ્રશ્ય થઈ જશે: રઘુરામ રાજન
સરકારે ક્રિપ્ટો એક્સચેન્જોની વાત સાંભળી છે અને આશા છે કે, તેને બિલમાં સામેલ કરાશે. આશા એવી પણ છે કે, ભારત ક્રિપ્ટોને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત નહીં કરે, પરંતુ તેના માટે નિયમ અને કાયદા પર વિચાર થશે. યૂઝર્સની વાત કરીએ તો 1.3 કરોડ યૂઝર્સ છે કોઈનસ્વિચ કુબેરના. એ જ રીતે અન્ય એક્સચેન્જો પર પણ યૂઝર બેઝ ઘણો વધારે થઈ ચૂક્યો છે. એટલે, સરકાર પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાનું પગલું ઉઠાવતા પહેલા રોકાણકારોના હિતનું પણ ધ્યાન રાખશે.

બિલ ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી માટે પોઝિટિવ હશે કે નેગેટિવ?
આ અંગે સિંઘલે કહ્યું કે, હજુ બિલની અંદરની બાબતોને લઈને કોઈ સ્પષ્ટતા નથી, એટલે કંઈપણ સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. પરંતુ, સંસદની સ્થાયી સમિતિ અને અન્ય સરકારી અધિકારીઓની સાથે જે મીટિંગ થઈ છે, તેમાં ઘણી બધી પોઝિટિવ વાતો રહી છે. તેના આધારે કહી શકાય કે, સરકારને જાણ છે કે, ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી ભારતમાં કેટલી મોટી થઈ ચૂકી છે અને ઘણા બધા રોકાણકારો તેની સાથે જોડાયેલા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારને ક્રિપ્ટોકરન્સીના નફા-નુકસાન અંગે પણ જાણકારી અપાઈ છે. એ વાતનો ઈનકાર ન કરી શકાય કે, ક્રિપ્ટો દ્વારા મની લોન્ડ્રિંગ શક્ય છે, પરંતુ એ પણ હકીકત છે કે, તેના માટે ક્રિપ્ટો એક્સચેન્જ સર્વેલન્સ અને સિક્યુરિટીને પણ ઈનેબલ કરી રહ્યા છે. તેના માટે રેગ્લુલેશન્સ લાવી શકાય છે અને તેની સામે એક્સચેન્જોને કોઈ સમસ્યા નથી. ક્રિપ્ટોકરન્સીના રેગ્યુલેશન્સ પર બિલ લાવવું એક સારી વાત છે.
ભારત પાસે હશે પોતાની ક્રિપ્ટોકરન્સી! આગામી વર્ષે RBI લાવી શકે છે ડિજિટલ કરન્સી
પહેલા ક્રિપ્ટોનું વર્ગીકરણ થાય, પછી આવે રેગ્યુલેશન્સ
સિંઘલે કહ્યું કે, ક્રિપ્ટો એક્સચેન્જ હોવાના કારણે અમે એ વાત સમજીએ છીએ કે, સરકાર ક્રિપ્ટોકરન્સી ટ્રેન્ડિંગના જોખમોને લઈને ચિંતિત છે. પરંતુ સીધા રેગ્લુલેશન્સ ન લાવવા જોઈએ. પહેલા ક્રિપ્ટોનું વર્ગીકરણ થવું જોઈએ, તે પછી તેના માટે રેગ્યુલેટર બનવા જોઈએ અને પછી રેગ્યુલેશન્સ આવવા જોઈએ, જેથી યૂઝર્સને પ્રોટેક્ટ કરી શકાય.

ક્રિપ્ટો પર પ્રતિબંધ કેમ મુશ્કેલ છે?
ક્રિપ્ટોને પ્રતિબંધિત કરવી રેગ્યુલેટરી ફ્રેમવર્કની દ્રષ્ટિએ તેમજ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ઘણું મુશ્કેલ છે. તેનું કારણ છે કે તેમાં કોઈ થર્ડ પાર્ટી નથી હોતી. ક્રિપ્ટો એક્સચેન્જ ક્રિપ્ટોને રેગ્યુલેટ કરવાનું માધ્યમ બની ગયા છે. તે યૂઝર્સની સાથે કોન્ટેક્ટનું માધ્યમ છે અને સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી સરકારને રિટલ ટાઈમ ડેટા મળી શકે. એટલે ક્રિપ્ટો કે ક્રિપ્ટો એક્સચેન્જોને પ્રતિબંધિત કરવાને બદલે તેને રેગ્યુલેટ કરવું જોઈએ. રિપોર્ટિંગ, કેવાયસી, કોઈન લિસ્ટિંગ વગેરે માટે ફ્રેમવર્ક તૈયાર કરવું જોઈએ. એક્સચેન્જો માટે યૂઝરને જાગૃત કરવા વગેરે માટે ફ્રેમવર્ક હોવું જોઈએ. પરંતુ, તો પણ જો સરકાર પ્રતિબંધ મૂકવા પર અડગ રહે છે તો તેણે ધ્યાન રાખવું જોઈએ કે, ભારતમાં ક્રિપ્ટોમાં રિટેલ રોકાણ 6 અબજ ડોલર પર પહોંચી ગયું છે.

પ્રાઈવેટ અને પબ્લિક ક્રિપ્ટોમાં શું ફરક છે?
સિંઘલે કહ્યું કે, આમ તો આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ, એવું લાગે છે કે, જો ક્રિપ્ટોકરન્સી સરકારી એજન્સીઓ કે એન્ટિટીઝ દ્વારા ઈશ્યૂ કરાયેલા કે અપ્રૂવ હશે, તેને પબ્લિક ક્રિપ્ટોકરન્સી કહેવાશે. જ્યારે જે ક્રિપ્ટો ખાનગી કંપનીઓની હશે, તેને પ્રાઈવેટ ક્રિપ્ટો મનાશે.

બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *