[ad_1]
હાઈલાઈટ્સ:
- 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ જ્યારે કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા વ્યાજ માફી
- AMCની રેવન્યુ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય : 3 માસ માટે પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ.
- જેટલા વહેલા તેટલી વધુ વ્યાજ માફી ધોરણે ફેબ્રુઆરી અને માર્ચમાં ક્રમશઃ 75 અને 70 ટકા સુધીનું વ્યાજ માફ
વહેલી તકે કરદાતા ટેક્સ ભરી શકે તેટલું વધારે ઈન્સેન્ટિવ મળશે
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, વ્યાજ માફીની યોજના સૌથી વધુ, સૌથી લાંબા સમયગાળા માટે તેમજ ઈયર્લી બર્ડ ઈન્સેન્ટિવ વાળી યોજના છે. ચાલુ વર્ષમાં 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી એક જ ઇન્સેન્ટિવ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવે છે. જેમાં જે કરદાતા તેના પૂરેપૂરા ટેક્સની ભરપાઇ જેટલી વહેલી તકે કરે તેને તેટલો વધારે ઇન્સેન્ટિવ રિબેટ મળશે.
મહત્તમ ઇન્સેન્ટિવ રિબેટ મેળવી શકશે
અગાઉ તમામ વષોમાં જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા. તેટલી જ ઇન્સેન્ટિવ રિબેટ છેલ્લા તબક્કામાં એટલે કે માર્ચ માસમાં આપવામાં આવશે. તેમજ જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસમાં વધારે ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેના કારણે જે કરદાતા વહેલામાં વહેલા સંપૂર્ણ ટેક્સની ભરપાઈ કરે તે મહત્તમ ઇન્સેન્ટિવ રિબેટ મેળવી શકશે.
મહત્તમ લાભ મેળવવા માટે અપીલ
શહેરના તમામ કરદાતાઓ આ યોજના અંતર્ગત મહત્તમ લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે, તેમજ જો કોઈ વાંધા અરજી અથવા અન્ય પ્રકારની અરજી આપવાની થતી હોય તો આ પ્રકારની અરજી વિના વિલંબે ટેક્સ ખાતામાં કરવામાં આવે જેનાથી ટેક્સ ખાતાના અધિકારીઓ સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરી શકે. વધુમાં, કરદાતાઓ તરફથી આવતી આવી અરજીઓનો સમય મર્યાદામાં ઝડપી નિકાલ થાય તે અંગે ટેક્સ ખાતાના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવશે.
[ad_2]
Source link






Leave a Reply