AMC property tax interest waiver 2022: અમદાવાદીઓને રાહત, AMC જાન્યુઆરીથી લાવશે પ્રોપર્ટી ટેક્સ વ્યાજ માફી યોજના – amc tax interest rebate scheme for-ahmedabad-residents-effective-from-1st-january-to-31st-march

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ જ્યારે કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા વ્યાજ માફી
  • AMCની રેવન્યુ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય : 3 માસ માટે પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ.
  • જેટલા વહેલા તેટલી વધુ વ્યાજ માફી ધોરણે ફેબ્રુઆરી અને માર્ચમાં ક્રમશઃ 75 અને 70 ટકા સુધીનું વ્યાજ માફ

અમદાવાદઃ AMCની મર્યાદામાં રહેતા અમદાવાદના નાગરિકોને ટેક્સમાં રાહત મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-22ના મિલકતવેરાની જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા સહિતની બાકી ટેક્સની ઝડપી વસુલાત થાય તેમજ ચાલુ વર્ષ સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે વ્યાજની રકમમાં ઇન્સેન્ટિવ રિબેટ યોજના 1 જાન્યુઆરી 2022થી 31 માર્ચ 2022 સુધી અમલમાં મુકવામાં આવશે. આજે મળેલી રેવન્યુ કમિટીમાં વ્યાજ માફીની સ્કીમ મુકવામાં આવી હતી. જેની રેવન્યુ કમિટીએ મંજૂર કરી છે. આ વ્યાજ માફીની સ્કિમ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે. આગામી ગુરુવારે સ્ટે.કમિટી દ્વારા કામ મંજૂર થતાં આ યોજનાનો અમલ કરવામાં આવશે.

વહેલી તકે કરદાતા ટેક્સ ભરી શકે તેટલું વધારે ઈન્સેન્ટિવ મળશે

રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, વ્યાજ માફીની યોજના સૌથી વધુ, સૌથી લાંબા સમયગાળા માટે તેમજ ઈયર્લી બર્ડ ઈન્સેન્ટિવ વાળી યોજના છે. ચાલુ વર્ષમાં 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી એક જ ઇન્સેન્ટિવ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવે છે. જેમાં જે કરદાતા તેના પૂરેપૂરા ટેક્સની ભરપાઇ જેટલી વહેલી તકે કરે તેને તેટલો વધારે ઇન્સેન્ટિવ રિબેટ મળશે.

મહત્તમ ઇન્સેન્ટિવ રિબેટ મેળવી શકશે

અગાઉ તમામ વષોમાં જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા. તેટલી જ ઇન્સેન્ટિવ રિબેટ છેલ્લા તબક્કામાં એટલે કે માર્ચ માસમાં આપવામાં આવશે. તેમજ જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસમાં વધારે ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેના કારણે જે કરદાતા વહેલામાં વહેલા સંપૂર્ણ ટેક્સની ભરપાઈ કરે તે મહત્તમ ઇન્સેન્ટિવ રિબેટ મેળવી શકશે.

મહત્તમ લાભ મેળવવા માટે અપીલ

શહેરના તમામ કરદાતાઓ આ યોજના અંતર્ગત મહત્તમ લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે, તેમજ જો કોઈ વાંધા અરજી અથવા અન્ય પ્રકારની અરજી આપવાની થતી હોય તો આ પ્રકારની અરજી વિના વિલંબે ટેક્સ ખાતામાં કરવામાં આવે જેનાથી ટેક્સ ખાતાના અધિકારીઓ સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરી શકે. વધુમાં, કરદાતાઓ તરફથી આવતી આવી અરજીઓનો સમય મર્યાદામાં ઝડપી નિકાલ થાય તે અંગે ટેક્સ ખાતાના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *