[ad_1]
હાઈલાઈટ્સ:
- સુપ્રીમ કોર્ટે રાજ્યના ટોચના આઈએએસ અધિકારીનો ઉધડો લઈ લીધો સાથે કહ્યું તમે શું કરવા ત્યાં છો.
- ગુજરાત સરકારે સહાય વળત આપવા માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સ્ક્રુટિની કમિટી તૈયાર કરવા આદેશ કર્યો હતો.
- સુપ્રીમ કોર્ટે પૂછ્યું અમે ક્યારે કહ્યું કે સ્ક્રુટિની કમિટી બનાવો, તાત્કાલિક વળતર ચૂકવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.
જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેંચ દ્વારા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછામાં આવ્યું કે, આગામી 29 નવેમ્બરના રોજ સુનાવણી પહેલા તેમણે તમામ રાજ્યો પાસેથી ડેટા ભેગો કરવો જોઈએ કેટલા લોકોને કોરોનામાં તેમના સ્વજનો ગુમાવ્યા બાદ રાહત સહાય મળી છે અને એક ફરિયાદ નિવારણ કમિટી પણ સેટઅપ કરવી જોઈએ. બેંચ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન જેમાં કોરોના મૃત્યુ સહાય માટે સ્ક્રુટિની કમિટીની રચના અંગે સરકારે આદેશ આપ્યો છે તેને રદ કરવા અંગે કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.
ગુજરાત સરકાર તરફથી મહેતા કોર્ટ સમક્ષ પક્ષ રાખી રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે કોર્ટના 18 નવેમ્બરના આદેશ મુજબ સુધારેલનું નવું નોટિફિકેશન ઈશ્યુ કરી દેવામાં આવ્યું છે. જોકે કોર્ટે આના પર કહ્યું હતું કે અમે એ જાણવા માગીએ છીએ કે પહેલું નોટિફિકેશન કોણે બહાર પાડ્યું હતું અને તેના માટે કોની જવાબદારી રહેશે તે નક્કી કરવું પડશે. ત્યારે મહેતાએ આ જવાબદારી પોતાની ગણાશે તેમ કહેતા જ કોર્ટ વિફરી હતી અને જસ્ટિસ શાહે શા માટે સોલિસિટર જનરલ? શા માટે તેમણે સરકારના પગલાની જવાબદારી લેવી પડે? નોટિફિકેશન ડ્રાફ્ટ કરનારા જેતે વિભાગના સક્ષમ અધિકારીએ જ આ જવાબદારી લેવી જોઈએ.
જે બાદ મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યના વિરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલ આ સુનાવણી માટે ડિજિટલ માધ્યમથી કનેક્ટ થયા છે. તેઓ આ બાબતે કોર્ટને વધુ માહિતી આપશે.
કોર્ટની કાર્યવાહીના સવાલ-જવાબ
– કોર્ટે અગ્રવાલને પૂછ્યું હતું કે આ પહેલું નોટિફિકેશન કોણે તૈયાર કર્યું હતું અને કોના મગજની આ ઉપજ છે?
-રાજ્યના એડિ. ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોર્ટને જવાબ આપતા કહ્યું કે આ નોટિફિકેશન માટેની ફાઇલ ઘણા વિભાગોમાંથી પસાર થઈ છે અને છેલ્લે તેને સક્ષમ ઓથોરિટી દ્વારા મંજુર કરવામાં આવી હતી.
-જે બાદ કોર્ટે કહ્યું કે જો તેવી વાત છે તો પછી આ સક્ષમ ઓથોરિટી કઈ છે જેમણે આ મંજૂરી આપી છે?
– અગ્રવાલે કહ્યું કે સર,કૉમ્પીટન્ટ ઓથોરીટી ટોચના લેવલે છે.
– જેના પર કોર્ટે ફરી પૂછ્યું કે અમને જણાવો તે કોણ છે?
-જેનો જવાબ આપતા અગ્રવાલે કહ્યું કે આ સક્ષમ ઓથોરિટી રાજ્યના મુખ્યમંત્રી છે.
– જેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તમારા મુખ્યમંત્રીને કદાચ ઘણી બાબતોની ખબર ન હોય અથવા જાણ ન હોય તો તમે ત્યાં શેના માટે છો? અને જો આ તમારા મગજની પેદાશ છે તો તમે કશું જાણતા નથી. શું તમે અંગ્રેજી જાણો છો? તમે અમારો આદેશ સમજી શકો છો? અમને લાગે છે કે આ માત્ર સહાયમાં વિલંબ માટેનો બાબુશાહી પ્રયાસ છે.
– જે બાદ દરમિયાનગીરી કરતાં મહેતાએ કોર્ટને કહ્યું કે, સહાયની પ્રક્રિયામાં ખોટા ક્લેમ થઈ શકે છે એવી પ્રબળ સંભાવનાઓ છે. જેના કારણે આ સ્ક્રુટિની કમિટી રચવામાં આવી હતી.
જેના પર જસ્ટિસ શાહે કહ્યું: કોર્ટે તમને સ્કુટીની કમિટી રચવા ક્યારેય કહ્યું નથી. આદેશમાં સુધારો સ્વીકાર્ય નથી. સ્કુટીની કમિટી પાસેથી પ્રમાણપત્ર મેળવતા 1 વર્ષ લાગી જશે. પછી તેઓ કહેશે કે હૉસ્પિટલમાંથી સર્ટિફિકેટ લઈ આવો. તો કઈ હૉસ્પિટલ સર્ટિ. આપશે કે મૃતકનું મૃત્યુ કોરોનાથી થયું છે?
બેન્ચે આગળ કહ્યું કે મિ.મહેતા, તમારા જ આંકડા જણાવે છે કે રાજ્યમાં 10 હજાર લોકોના મોત થયા છે. તો શંકા કરવાનો સવાલ ક્યાં છે? ફક્ત ખોટા ક્લેમ કરવામાં આવશે તેવું માનીને જે લોકો ખરેખર પાત્ર છે તેમને સહાયથી વંચિત રાખી શકાય નહીં. તે સાથે જ જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે જો તમે ખોટા મૃત્યુ સર્ટિફિકેટની વાત કરો છો તો તે કઈ રીતે શક્ય બને જ્યારે આ સર્ટિફિકેટ તો સરકારી વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે.
જે બાદ મહેતાએ કહ્યું કે નોટિફિકેશનને એક આદર્શ તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું અને હવે ટૂંક સમયમાં જ સુધારેલું નોટિફિકેશન પણ પાસ કરી દેવામાં આવશે. જોકે સરકાર દ્વારા સહાય આપવામાં આચરવામાં આવેલી હોતા હૈ ચલતા હૈ ની નીતિથી નારાજ કોર્ટે ચીમકી આપી દીધી હતી કે ‘સરકાર આમ જ મોડુ કરશે તો 2001ના ભૂકંપની જેમ લીગસ સર્વિસ ઓથોરિટી મારફતે આ સહાય વિતરણ કરવાનો આદેશ આપવામાં આવશે. જેમનો ડેટા સરકાર પાસે જે અને વિગતો સંપૂર્ણ છે તેમને હાલના તબક્કે 50 હજાર રૂપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો હતો. સુનાવણીમા કોર્ટે કહ્યું હતું કે, સરકારના જ આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી ઓછામાં ઓછા 10 હજાર લોકોના મોત નિપજ્યાં છે ત્યારે સહાય માટેની અરજીઓ પર શંકા અસ્થાને છે. માટે તેમને સહાય આપવાનું શરું કરી દેવામાં આવે.’
મહત્વનું છે કે દેશની સર્વોચ્ચ અદાલતે 4 ઓક્ટોબરના રોજ આદેશ આપતા કહ્યું હતું કે ફક્ત ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ વાયરસ હોવાનું ન લખ્યું હોય તેના આધારે કોઈપણ રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનને રુ. 50000ની વળતર સહાય અંગે ના પાડી શકશે નહીં. આ સાથે 30 દિવસની અંદર આ લોકોને સહાય આપવા માટે પણ આદેશ આપ્યો હતો.
[ad_2]
Source link














Leave a Reply