Shriram Properties Share Price: Shriram Propertiesના લિસ્ટિંગે રોકાણકારોને રડાવ્યા, શેર્સ વેચવા કે હોલ્ડ કરવા? – shriram properties shares listing at 24 percent discount shoul you sell or hold

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 118 રૂપિયાની ઈસ્યુ પ્રાઈઝ ધરાવતા આ શેરનું લિસ્ટિંગ 23.74 ટકાના ડિસ્કાઉન્ટે 90 રૂપિયા પર થયું હતું
  • લિસ્ટિંગના આગલા દિવસે ગ્રે માર્કેટમાં તેનું ડિસ્કાઉન્ટ 10-15 રૂપિયા બોલાઈ રહ્યું હતું
  • શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8થી 10 ડિસેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો

નવી દિલ્હીઃ સોમવારે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. તેવામાં સોમવારે શ્રીરામ પ્રોપર્ટીઝ શેર્સનું લિસ્ટિંગ થયું હતું પરંતુ લિસ્ટિંગ વખતે જ રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો. 118 રૂપિયાની ઈસ્યુ પ્રાઈઝ ધરાવતા આ શેરનું લિસ્ટિંગ 23.74 ટકાના ડિસ્કાઉન્ટે 90 રૂપિયા પર થયું હતું. એનએસઈ પર તેનું લિસ્ટિંગ 90 રૂપિયા જ્યારે બીએસઈ પર 94 રૂપિયા પર થયું હતું.

લિસ્ટિંગના આગલા દિવસે ગ્રે માર્કેટમાં તેનું ડિસ્કાઉન્ટ 10-15 રૂપિયા બોલાઈ રહ્યું હતું. જેના પરથી સંકેત મળી ગયો હતો કે દક્ષિણ ભારત સ્થિત રિયલ એસ્ટેટ કંપનીનું લિસ્ટિંગ નિરાશાજનક રહેશે. શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8થી 10 ડિસેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો. કંપનીએ ઈસ્યુ પ્રાઈઝ 113-118 રૂપિયા પ્રતિ શેર રાખી હતી.
Expert’s advice: કયા લાર્જ કેપ શેર્સમાં 10-15% કરેક્શન બાદ ખરીદી કરી શકાય?ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયા બાદ રોકાણકારોએ શેર્સ વેચી દેવા જોઈએ કે હોલ્ડ કરવા જોઈએ તે મૂંઝવણ છે. આ અંગે સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિકાસ જૈને જણાવ્યું હતું કે, કંપનીનું લિસ્ટિંગ નબળુ રહ્યું છે અને તેની અપેક્ષા હતી. હાલમાં રિયાલ્ટી ઈન્ડેક્સમાં વેચવાલી ચાલી રહી છે. જોકે, નવા રોકાણકારોએ તેને ખરીદવાથી દૂર રહેવું જોઈએ. આગામી કેટલાક સેશન્સમાં શેર તેની ઈસ્યુ પ્રાઈઝ પર આવી શકે છે અને ત્યારે રોકાણકારોએ વેચીને બહાર નીકળી જવું જોઈએ.

રેલિગેર બ્રોકિંગના વીપી-રિસર્ચ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે, જે રોકાણકારોને શેર્સ એલોટ થયા છે તેઓ લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકે છે. તેમણે કંપનીના લોંગ ટર્મ ગ્રોથને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જે લોકો હાલમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમણે ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે હાલમાં માર્કેટ નબળુ દેખાઈ રહ્યું છે.
Stock of the day: મંદી વચ્ચે પણ Indian Card Clothingમાં ઉછાળાના સંકેતસ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં રિયલ એસ્ટેટ વધારે સારો દેખાવ કરે તેવી સંભાવના છે અને તેથી એગ્રેસિવ રોકાણાકારોને શ્રીરામ પ્રોપર્ટીઝ પર ધ્યાન આપવાની સલાહ આપું છું. પોતાના રોકાણમાં જે લોકો એગ્રેસિવ છે તેઓ લાંબા ગાળા માટે તેને હોલ્ડ કરી શકે છે. જ્યારે ટૂંકા ગાળાના રોકાણકારો 80 રૂપિયાનો સ્ટોપલોસ રાખી શકે છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ માત્ર માહિતી માટે છે. તેમાં જણાવેલા વિચારો એક્સપર્ટના પોતાના છે, જેની સાથે IamGujarat.comને કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2024 Peacefulqode. All rights reserved. | peacefulqode.com