Nykaa: શા માટે Nykaa અને Policybazaarમાંથી રોકાણકારોનો રસ ઉડી ગયો? – why market not excited about nykaa and policybazaar expert give reasons

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મારૂં માનવું છે કે ક્યાંક રોકાણકારો તેમનો પોર્ટફોલિયો અને પોઝિશન્સ બદલી રહ્યા છે: દેવેન ચોક્સે
  • મને લાગે છે કે નાણાનો એક ભાગ આમાંની કેટલીક કંપનીઓમાં ગયો છે જે હવે લિસ્ટિંગ થઈ રહી છે
  • રોકાણકારો ફરી એકવાર આ નાણાંને કેટલાક નવા યુનિકોર્ન્સમાં રોકાણ કરીને ઝડપી કમાણીના ટ્રેકમાં મૂકવા માંગે છે

2021ના વર્ષમાં ઘણી નાની-મોટી કંપનીઓના આઈપીઓ આવ્યા જેમાં ઘણામાં લોકોને ધરખમ કમાણી થઈ તો ઘણા આઈપીઓમાં રોકાણકારોને રોવાનો વારો પણ આવ્યો હતો. નાયકાનો આઈપીઓ ધમાકેદાર રહ્યો હતો અને તેના લિસ્ટિંગ વખતે રોકાણકારો માલામાલ થયા હતા. જ્યારે પોલિસીબઝારનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું હતું.

જોકે, હાલમાં માર્કેટમાં નાયકા અને પોલિસીબઝાર પ્રત્યે લોકોનો રસ ઓછો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. જાણીતા એક્સપર્ટ અને કેઆર ચોક્સે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી દેવેન ચોક્સેએ આ અંગે વાત કરી હતી.
રોકાણ માટે રૂપિયા તૈયાર રાખજોઃ આગામી વર્ષે LIC, OYO સહિત આ કંપનીઓના જંગી IPO આવશેનવા લિસ્ટેડ આઈપીઓને જુઓ. નાયકા અને પોલિસીબઝાર જુઓ. નાયકા તેની તાજેતરની ઊંચી સપાટીથી દૂર છે અને પોલિસીબઝારમાં પણ નબળાઈ જોવા મળી રહે છે અને હવે તે ત્રણ આંકનો સ્ટોક બની ગયો છે. નાયકા, પોલિસીબઝાર અને પેટીએમમાંથી પણ અચાનક ઉત્સાહ કેમ ગાયબ થઈ ગયો છે?

આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે લોકોનો ઉત્સાહ ઓસરી ગયો છે, પરંતુ મારૂં માનવું છે કે ક્યાંક રોકાણકારો તેમનો પોર્ટફોલિયો અને પોઝિશન્સ બદલી રહ્યા છે. બીજી તરફ જ્યાં સુધી લિસ્ટિંગની વાત છે ત્યાં સુધી આ કંપનીઓને જોરદાર પ્રશંસા મળી હતી. બીજી બાજુ, ઘણી વધુ કંપનીઓ લિસ્ટિંગ માટે આવી રહી છે અને રોકાણકારો કે જેઓ નવી પેઢીના કેટલાક શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તેઓ ચોક્કસપણે પોર્ટફોલિયો બદલી રહ્યા છે કારણ કે ઘણી વધુ કંપનીઓ બજારમાં આવવાની રાહ જોઈ રહી છે.
Expert Advice: સુપ્રીયા લાઈફસાયન્સના ધમાકેદાર લિસ્ટિંગ પછી શેર વેચશે, ખરીદશો કે હોલ્ડ કરશો?મને લાગે છે કે નાણાનો એક ભાગ આમાંની કેટલીક કંપનીઓમાં ગયો છે જે હવે લિસ્ટિંગ થઈ રહી છે કારણ કે રોકાણકારો ફરી એકવાર આ નાણાંને કેટલાક નવા યુનિકોર્ન્સમાં રોકાણ કરીને ઝડપી કમાણીના ટ્રેકમાં મૂકવા માંગે છે. મને લાગે છે કે ટેક્નોલોજી સક્ષમ કંપનીઓ, ખાસ કરીને એનએફટી અથવા બ્લોકચેનમાં રહેલી કંપનીઓમાં સારા એવા રૂપિયા જઈ રહ્યા છે. મારા મતે રોકાણની આગામી લહેર ત્યાં શરૂ થશે.

જોકે, આમાંની મોટાભાગની કંપનીઓની વેલ્યુએશન તેમના સમય કરતા ઘણા આગળ છે અને મને લાગે છે કે બીજા બે કે ત્રણ વર્ષમાં વેલ્યુએશન વર્તમાન ભાવે વ્યાજબી લાગશે. તેથી રોકાણકાર પોર્ટફોલિયોમાંથી કેટલાક પૈસા કાઢીને નવી પસંદગીઓમાં રોકાણ કરે છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

[ad_2]

Source link