Gujarat : ગુજરાતના AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટે વર્ષ 2025-26 માટે રૂ. 682 કરોડનું બજેટ રજૂ કર્યું છે. એએમટીએસના કાફલામાં નવી 120 એસી બસો ઉમેરવામાં આવશે. આ વર્ષમાં 113 બસો ઉમેરવાની યોજના છે. આ ઉપરાંત મોબાઈલ એપ દ્વારા પણ દૈનિક ટિકિટ પાસ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
2500-5000 રૂપિયા સુધીનો દર હશે.
નવરાત્રી, શ્રાવણ માસ અને અન્ય તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ધાર્મિક યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી આ બસ માટે 2500 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ બહારના કોઈપણ ધાર્મિક સ્થળે લોકોને લઈ જવા માટે બસ દીઠ 5000 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે અડાલજ ત્રિ-મંદિરમાં દર્શન કરવા અથવા મહેમદાવાદ ગણપતિ મંદિરમાં ધાર્મિક યાત્રા કરવા જવા માંગતા હોવ તો બસ દીઠ રૂ. 5000 ફી લેવામાં આવશે.
કોન્ટ્રાક્ટરોને રૂ. 22 કરોડ ફાળવ્યા.
ખાનગી કોન્ટ્રાક્ટરોના ચાલકો દારૂ પીને બસ ચલાવે છે. આવા નશામાં ચાલનારાઓને કોઈ સજા નથી. નવા બજેટમાં નશામાં ધૂત ચાલકોને પકડવાની કોઈ જોગવાઈ નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોને વધુ રૂ. 22 કરોડ ફાળવવામાં આવશે.

437 કરોડની લોન
બજેટની જોગવાઈ મુજબ બસોના સંચાલન માટે કોન્ટ્રાક્ટરને રૂ. 307 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ ગયા વર્ષની સરખામણીએ રૂ. 22 કરોડ વધુ છે. એએમટીએસ મહાનગરપાલિકા પાસેથી રૂ. 437 કરોડની લોન લેશે. એએમટીએસ પર મહાનગરપાલિકાનું કુલ દેવું 4620.77 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
Leave a Reply