[ad_1]
આ બિલ અંતર્ગત ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો, ડીલર, એપ ડેવલોપર, માઈનિંગ કરનારા સહિત તમામ સંબંધિત પક્ષ આવશે. આ બિલથી ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ જશે એટલે કે ક્રિપ્ટોમાં શું-શું હશે અને શું નહીં હોય. આ સ્પષ્ટતા આ બિલ દ્વારા થઈ જશે. તેનાથી ક્રિપ્ટો પર ટેક્સ અને નિયમ-નિયંત્રણ સંબંધિત ભ્રમ પણ દૂર થઈ જશે.
નોંધનીય છે કે અત્યાર સુધી સ્પષ્ટ નથી કે ક્રિપ્ટોની ડિજિટલ એસેટ તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે કે કોઈ કોમોડિટી તરીકે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીને લગતી કાયદા-નિયમો આવી ગયા બાદ તેમાં સ્થિરતા આવશે અને રોકાણકારોના હિતની પણ રક્ષા થશે. જોકે, સરકાર અને રિઝર્વ બેંકે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ક્રિપ્ટોને કોઈ પણ પ્રકારે લેવડ-દેવડ સિસ્ટમનો ભાગ બનાવવામાં આવશે નહીં.
[ad_2]
Source link
















Leave a Reply