[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા કરાઈ રહી છે મહત્વની તૈયારીઓ
- શહેરમાં બીજી લહેરે લોકોને હંફાવ્યા બાદ સ્મશાનની બહાર લાંબી લાઈનો લાગતી હતી
- કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરના સ્મશાનોમાં કરાઈ રહી છે જરુરી તૈયારીઓ
બીજી લહેર દરમિયાન અમદાવાદમાં સ્માશનની બહાર પણ કલાકોના વેઈટિંગ ચાલતા હતા. આવામાં અલગ-અલગ સ્મશાનોમાં સીએનજી ભઠ્ઠી ચોવીસ કલાક ચાલતી હોવાથી પીગળી જવાના કિસ્સા પણ બન્યા હતા. આ કારણે લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.
ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે ગુજરાત તથા દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં અગાઉથી જ જરુરી તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. હવે શહેરના વીએસ સ્મશાનમાં પણ જરુરી કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય સ્મશાનગૃહોમાં પણ જરુરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં લાકડીની ચિતાની ઘોડી સાથે સીએનજી ભઠ્ઠીનું રિપેરિંગ કામ વગેરે કરાયા છે.
વીએસ સ્મશાનગૃહમાં વધારાની એક સીએનજી ભઠ્ઠી લગાવવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય સ્મશાનમાં જરુરી રિપેરિંગ કામ પણ કરવામાં આવશે. આ માટે 49 લાખ રૂપિયાનો ખર્ચ થવાની દરખાસ્ત રોડ કમિટીમાં મૂકવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસો નોંધાયા છે અને સામે 34 દર્દી સાજા થયા છે. કોરોના વાયરસના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,113 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 61, સુરતમાં 20, આણંદમાં 18, વડોદરામાં 14, રાજકોટમાં 13, સુરતમાં 9, નવસારીમાં 5, બનાસકાંઠા અને ખેડામાં 4-4, જુનાગઢ-કચ્છ-વલસાડમાં 3, અમદાવાદ (જિલ્લો)-અમરેલી-ભરૂચ-ગાંધીનગર કોર્પોરેશન-જામનગર-જુનાગઢ-રાજકોટ-વડોદરામાં 2, ભાવનગર-દાહોદ-ગાંધીનગર-ગીર સોમનાથ-મહેસાણા-સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. રાજકોટ (જિલ્લા)માં 2 દર્દીના મોત નીપજ્યા છે.
[ad_2]
Source link














Leave a Reply