Gujarat : ગુજરાતના જામનગર જિલ્લાના એક ગામમાં એક મહિલાએ તેના ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે 32 વર્ષની મહિલા અને તેના ચાર બાળકોના મૃતદેહ કૂવામાં તરતા જોવા મળ્યા હતા. જે બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
ધ્રોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.આર.રાઠોડે જણાવ્યું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ મહિલાએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ ટીમ પણ આ બાબતે જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
મૃતકોની ઓળખ
પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે ભાનુબેન ટોરિયા તેના બાળકો ઋત્વિક (3), આનંદી (4), અજુ (8) અને આયુષ (10) સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પોલીસે કેસ નોંધી લીધો છે અને આ મામલે તપાસ ચાલુ છે.














Leave a Reply