[ad_1]
હાઈલાઈટ્સ:
- સરકારી વીમા કંપનીઓએ ખાનગી હોસ્પિટલોનું છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કર્યું નથી
- ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ, યુનાઇટેડ ઇન્ડિયાનો સમાવેશ
- જો કોઈપણ પ્રશ્નોનો જવાબ નહી આપવામાં આવે તો 15 જાન્યુઆરી 2022થી કેશલેસ: AHNA
નિયમિતપણે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા તેઓએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સરકારી વિમા કંપનીઓના ધાંધીયાની અસંખ્ય રજુઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની હોસ્પિટલો તેમજ નર્સિગ હોમ્સ કેશલેસ સુવિધા બંધ કરશે.
સમગ્ર મામલે AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ, નેશનલ ઈન્શ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા કંપનીઓ અણધડ વહીવટ કરે છે. એગ્રીમેન્ટ્ર રિન્યુઅલ કરવામાં ધાંધિયા કરે છે. સરકારી વીમા કંપનીઓ દ્વારા ક્લેઈમ સામે પેમેન્ટ ખૂબ જ મોડું મળતું હોય છે.
એટલું જ નહીં 30 દિવસની મર્યાદા હોવા છતાં કોઈ પણ સરકારી વીમા કંપનીઓ દ્વારા સમયસર ચૂકવણી થતી નથી. MSME એક્ટ પ્રમાણે આ એક ગંભીર ગુનો છે. તેઓ સરખો જવાબ નથી આપતા અને દિલ્હી-મુંબઈની ઓફિસમાં વાત કરીશું તેવું કહેતા હોય છે. લોકોએ જો સારી સુવિધાઓ લેવી હોય તો આ ચાર કંપનીઓને ઈન્શ્યોરન્સ લેવાનું બંધ કરો.
AHNAના જણાવ્યા અનુસાર જો કોઈપણ પ્રશ્નોનો જવાબ નહી આપવામાં આવે તો 15 જાન્યુઆરી 2022થી કેશલેસ સુવિધાઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલો બંધ કરાશે. જો કે, વીમા કંપનીઓ-હોસ્પિટલો વચ્ચેના ઝઘડામાં હજારો દર્દીઓ તકલીફમાં મુકાશે.
[ad_2]
Source link






Leave a Reply