વડોદરા કોર્પોરેશનની પાણીની લાઈન મધરાતે કેબલ ની કામગીરી દરમિયાન તૂટી જતા પાણીનો ધોધ વછૂટ્યો

[ad_1]


– નંદેશરી ચાર રસ્તા પાસે મધરાતે કોર્પોરેશનનું તાકીદનું રીપેરીંગ

– ત્રણ કુવાના પંપો બંધ કરવા પડયા, વહેલી સવાર સુધી કામગીરી ચાલી

– નુકસાની બદલ કોર્પોરેશન નોટિસ ફટકારશે 

વડોદરા, તા. 22 ડિસેમ્બર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના મહી નદીના ચાર ફ્રેન્ચ રાયકા દોડકા કુવાની કમ્બાઇન્ડ લાઈન ને ખાનગી કંપનીએ કેબલ ની કામગીરી માટે ખોદકામ દરમિયાન તોડી નાખતા પાણીનો ધોધ નીકળતા તાત્કાલિક ત્રણ કુવાના પંપો બંધ કરવાની ફરજ પડી હતી. મહી નદી ખાતે રાયકા, દોડકા, પોઇચા અને ફાજલપુર ચાર કૂવા છે .જેથી કોર્પોરેશનને રોજનું 30 કરોડ લિટર પાણી મળે છે .આ ચાર કુવાના  પંપો સતત ચાલુ રહે છે ,પરંતુ નંદેસરી ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે ખાતે ખાનગી કંપની દ્વારા ખોદકામ દરમિયાન દરમિયાન રાયકા અને દોડકા કુવાની ૫૪ ઇંચ ડાયામીટર ની લાઈન તોડી નાખી હતી. જેના લીધે પાણીનો ધોધ વછૂટતાં પાણી વેડફાતું અટકાવવા રાયકા ,દોડકા અને પોઇચા કુવાના પંપો બંધ કરવા પડયા હતા. આમ, ચારમાંથી ત્રણ કુવાના ૧૩ પંપો બંધ થતા  પાણીની ઘટ પડી હતી.  કોર્પોરેશનની ટીમ એ  મંગળવારની રાત્રે જ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ નંદેશરી ચાર રસ્તા પાસે નર્સરી નજીક રોડની ધારે પાણીની લાઇન પસાર થાય છે, જ્યાં ખાનગી કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિક ની કેબલ નાખવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનની ચેમ્બર તોડી નાખી, એર વાલ અને લાઈન ને નુકસાન થતાં પાણીનો ધોધ છૂટયો હતો. મોડી રાત્રે 10:30 વાગ્યે આ બનાવ બન્યો હતો પાણી નજીકના વિસ્તારમાં ફરી વળ્યા  હતા.

કોર્પોરેશન નો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને રાત્રે ૧૨ વાગ્યાથી કામગીરી શરૂ કરી સવારે છ વાગ્યે રીપેરીંગ કામ પૂરું કર્યું હતું .કોર્પોરેશનની લાઈન અને એર વાલ તોડીને માણસો સ્થળ પરથી જતા રહ્યા હતા.

કોર્પોરેશન નુકસાન બદલ ૧૦ થી ૧૫ લાખનો દંડ વસૂલ કરવા નોટિસ ફટકારશે તેમ જાણવા મળ્યું છે. રાત્રે કામગીરી દરમિયાન ત્રણ કુવાના પાણીના પંપો છ કલાક સુધી બંધ રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *