વડોદરા:ટ્રેનમાં નીંદ્રાધીન મુસાફરોનો સામાન ચોરીનો સિલસિલો યથાવત:4.30 લાખની મત્તા ભરેલી બેગ ચોરી ગઠિયો ફરાર

[ad_1]

વડોદરા,તા. 28

ટ્રેનમાં મુસાફરી દરમિયાન નીંદ્રાધીન મુસાફરોનો કીમતી સરસામાન ચોરી થવાનો સિલસિલો યથાવત છે. રેલ્વે મુસાફરી દરમિયાન વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યો ગઠિયો નિંદ્રાધીન દંપતીની 4.30 લાખ ઉપરાંતની મત્તા ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો છે.

ટ્રેનમાં નિંદ્રાધીન મુસાફરોના મોબાઇલ ફોન, પર્સ સહિતની ચીજવસ્તુઓ ચોરી થવાના બનાવો ચિંતાજનક વધ્યા છે. આ બનાવો મુસાફરોની સુરક્ષા અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ રેલવે પોલીસ મથકોના ચોપડે નોંધાતા પોલીસ તંત્રમાં ચોક્કસ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મુંબઈ ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અનિલ કુમાર પત્ની સાથે રતલામ લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી મુંબઈ પરત આવવા ઇન્દોર મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન દંપતિ સૂઈ જતા અજાણ્યો ઘટયો તેમની પત્નીનું લેડીઝ પર્સ ચોરી નાસી છૂટયો હતો . વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આ ઘટનાની જાણ થઈ હતી. ચોરી થયેલી બેગમાં 3 મોબાઈલ ફોન, અગત્યના કાગળો, રોકડા 07 હજાર, રૂપિયા 2.25 લાખની કિંમતનો સોનાનો નેકલેસ, રૂપિયા 50 હજારની કિંમતનો સોનાનો ટોપ્સ મળી કુલ 04,38,500ની મકાન નો સમાવેશ થાય છે.

[ad_2]

Source link