ફોર્મ લેવા પડાપડી: વડોદરામાં કોરોનાથી સત્તાવાર 623નાં મોત છતાં સહાય માટે 600 થી વધુ ફોર્મ ઊપડી ગયા

[ad_1]

વડોદરા, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર

કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા માં આર્થિક સહાય માટે ફોર્મ લેવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે  લોકોનો ઘસારો જોવા મળ્યો છે. જ્યાં ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓએ પડાપડી કરી હતી. કોર્પોરેશનના ચોપડે નથી માત્ર 623 ના મોત સામે બપોર સુધીમાં 600થી વધુ ફોર્મનો ઉપાય આંકડા સામે સવાલ ઊભા કરે છે.તંત્રના આંકડા અને ફોર્મ લેવાવાળાઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

વડોદરા સહિત રાજ્યમાં કોરોનાના કપરા કાળમા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આંકડા છુપાવવાની તંત્રની માયાજાળમાં ખુદ તંત્રના અધિકારીઓ જ ભેરવાયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. કોરોના મૃતક સહાયના ફોર્મના વિતરણના પ્રથમ દિવસે જ ટપોટપ 600 ફોર્મનો ઉપાડ સામે આરોગ્ય વિભાગના રેકર્ડ ઉપર હજુ આજે પણ કોરોનાથી માત્ર 623 દર્દીઓએ જ જીવ ગુમાવ્યો હોવાનુ જણાવાઇ રહ્યુ છે. હજુ આવનાર દિવસોમાં વધુ લોકો ફોર્મ ઉપાડશે જેના ઉપરથી સાબિત થશે કે વાયરસના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. 50 હજારની સહાય માટે અનેક પરિવારોને આર્થિક મદદની આશા બંધાઇ છે.

ફોર્મ પરત કરતી વેળાએ મરણ જનારના ડેથ સર્ટીફિકેટ, સહાય મેળવવા માટે વારસદારોની સંમતિ, પેઢીનામુ, બેંકપાસ બુકની ઝેરોક્ષ તેમજ કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યુ હોય તેવા કિસ્સામાં શહેરી વિસ્તારમા નગરપાલિકા તેમજ ગ્રામ્યકક્ષાએ ગ્રામપંચાયતમાંથી નમુના નં.4નુ ફોર્મ ભરીને આપ્યા બાદ સહાય વિતરણ અંગેની વધુ પ્રક્રિયા હાથ ધરાશે. સાથોસાથ શંકસ્પદ મૃત્યુના કિસ્સામાં કલેક્ટર ડીએચઓના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટી દ્વારા લીલીઝંડી મળ્યા બાદ સહાય વિતરણની કામગીરી હાથ ધરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *