કચ્છમાં નવા વેરિઅન્ટનો કેસ નોંધાયો ન હોવાથી તંત્રને રાહત

[ad_1]

ભુજ,શનિવાર

કચ્છ  જિલ્લામાં ઓમીક્રોનના નવા વેરિએન્ટને લઇને આરોગ્ય વિભાગે કોરોના કાળમા ઉપયોગમા લીધેલા ૧૦૦ બેડ સંભવિત શક્યતાને પગલે તૈનાત કરવાની તજવીજ હાથ ધરી છે. જેમાં મહિલા, પુરૃષ અને બાળકો માટે અલગ-અલગ વોર્ડ ઉભા કરી જરૃરિયાત મુજબ ઓક્સિજન, વેન્ટીલેટર, આઇસીયુની સુવિદ્યા ઉભી કરવામા આવનાર હોવાનુ જાણવા મળે છે.

જિલ્લામાં વધુમાં વધુ રસીકરણની પ્રક્રિયાને વેગ આપવામા આવતા કોરોના ઉપર તંત્રએ નિયંત્રણ મેળવ્યુ છે. માર્ચ એપ્રિલમા પીકઅપમા રહેલા વાયરસે અનેક લોકોને ઝપેટે લેતા કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવો પડયો છે. એક તબક્કે કોરોનાના કારણે જિલ્લા ભરની હોસ્પિટલો દર્દીઓાથી ઉભરાઇ હતી. બેડ, ઓકિસજન, આઇસીયુ, વેન્ટીલેટર, રેમડેસિવિર ઇન્જેકશનની ભારે અછત વર્તાઇ હતી. દર્દીઓને સારવાર મેળવવા હોસ્પિટલોમાં કતારો લગાવવાની નોબત આવી હતી. હાલમાં જુના વેરિઅન્ટના શુક્રવાર સુાધીમાં ૬  કેસો નોૅધાયા છે.૨  દર્દીઓ સ્વસૃથ થતાં તેઓ કોરોનામુક્ત થયા છે. એક્ટિવ કેસ  ૧૩ રહ્યા છે.  ત્યારે ઓમીક્રોનની સંભવિત શક્યતાને પગલે તંત્ર દ્વારા જિલ્લામાં ગત કોવિડ હોસ્પિટલોમાં તૈનાત ૧૦૦ બેડ જરૃર પડયે તો તૈયાર કરવાની પણ તંત્રએ તૈયારીઓ રાખી છે. જોકે હજુ સુાધી જિલ્લામાં એકપણ કેસ નવા વેરિઅન્ટનો નોંધાયો નહીં હોવાથી લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *