coronavirus india: ફરી બેકાબૂ બન્યો કોરોના! ભારતમાં સાડા ત્રણ મહિના બાદ દૈનિક કેસ 27 હજારને પાર – india reports 27,553 new covid-19 cases and 284 deaths, omicron tally at 1,525

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસનો રાફડો ફાટવાનું શરુ થયું છે
  • સાડા 3 મહિને ફરી એક જ દિવસમાં નવા 27,000 કરતા વધારે કેસ નોંધાયા
  • સાવધાન, ગુજરાતમાં પણ કોરોનાના કેસનો વિસ્ફોટક સ્થિતિનું બની રહી છે

નવી દિલ્હી, અમદાવાદઃ ભારતમાં કોરોનાના સંક્રમણમાં બીજી લહેર નબળી પડ્યા પછી સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ ફરી એકવાર દેશમાં કોરોનાના સંક્રમણમાં ઉછાળો નોંધાવવાનું શરુ થઈ ગયું છે. સાડા ત્રણ મહિના પછી દેશમાં કોરોનાના નવા કેસનો આંકડો 27 હજારને પાર ગયો છે.

આ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ 27,254 કેસ નોંધાયા હતા. જ્યારે પાછલા 24 કલાકમાં દેશમાં વધુ 27,553 કેસ નોંધાયા છે. એક તરફ રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે અને બૂસ્ટર ડોઝની જરુર વર્તાઈ રહી છે ત્યારે કોરોનાના નવા કેસમાં આવેલો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે.

દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 1500ને પાર કરીને 1,525 થઈ ગયો છે. ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ડેલ્ટા કરતા નબળો હોવાનું પ્રાથમિક તારણોમાં માનવામાં આવી રહ્યું છે. આમ છતાં કેસની સંખ્યા વધતા તે ચિંતા ઉભી કરી રહ્યો છે. ઓમિક્રોન વૃદ્ધ વ્યક્તિ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે ખતરો સાબિત થઈ શકે છે. આ સાથે જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે તેમનામાં ઓમિક્રોનના લક્ષણો હળવા દેખાય છે અને તેમના પર વાયરસ હાવી ના થતો હોવાનું પણ ડોક્ટરોએ સારવાર દરમિયાન તપાસ્યું છે.

અમદાવાદમાં ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ, બે દિવસમાં એક્ટિવ સંક્રમણ બમણા
ભારતમાં માત્ર 9 જ રાજ્યો એવા છે કે જ્યાં હજુ સુધી ઓમિક્રોનના કેસ નોંધાયા નથી. આ રાજ્યમાં મોટાભાગના ઉત્તરપૂર્વના રાજ્યો છે, જેમાં છત્તીસગઢ, ઝારખંડ, સિક્કિમ, અરુણાચલપ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલયા, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 23 કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં 11 અને સુરતમાં 4 નોંધાયા છે. આ સાથે અમદાવાદના 50એ પહોંચ્યા છે. દેશમાં ઓમિક્રોનના સૌથી વધારે 460 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે રાજસ્થાનનો આંકડો 121 પર પહોંચ્યો છે. જ્યારે દિલ્હીમાં વધુ 31 કેસ આવતા કુલ ઓમિક્રોન સંક્રમણ 351 થઈ ગયા છે.

કોરોનાના 10માંથી 4 દર્દીઓમાં જોવા મળે છે બ્લડ ક્લોટિંગ, નવા સ્ટડીમાં થયો ખુલાસો
પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે વધુ 284 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે રિકવરી રેટ હાલ 98.27% પર પહોંચ્યો છે. ભારતમાં માર્ચ મહિનામાં બીજી લહેરની શરુઆત થઈ હતી જેની અસર જૂન મહિના સુધી રહી હતી.

કોરોનાઃ ગુજરાતની સ્થિતિ

શનિવારે સાંજે 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1069 કેસો નોંધાયા છે, બીજી બાજુ 103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,119 પર પહોંચ્યો છે. નવા કેસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં 559, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 41, આણંદ અને ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, રાજકોટ જિલ્લામાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 17 દર્દીઓ નોંધાયા છે. નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે.

[ad_2]

Source link