ahmedabad neighbour fight: બાળકો લડ્યા, પાડોશીઓએ માર મારવાની અને રેપની ધમકી આપ્યા સુધીની ફરિયાદો કરી – neighbour file complaint in front of each other after kids fight in ahmedabad

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બાળકોના સામાન્ય ઝઘડા બાદ પાડોશીઓએ એકબીજા સામે ફરિયાદ કરી
  • શહેરના બોડકદેવમાં બનેલી ઘટનામાં પાડોશીઓ બાખડી પડ્યાની ફરિયાદ
  • રમતા-રમતા બાળકો ઝઘડ્યા બાદ મામલો બિચક્યો, વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ

અમદાવાદઃ લોકોની સહન શક્તિમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદમાં સોસાયટીમાં રમતા-રમતા બનેલી ઘટનામાં બે બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ પાડોશીઓ વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો અને વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે.

બોડકદેવ વિસ્તારમાં બનેલી ઘટનામાં બે બાળકો રમતા-રમતા ઝઘડ્યા બાદ મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. જેમાં ફરિયાદ કરનારી મહિલા જણાવે છે કે, તેમને અન્ય મહિલા દ્વારા માર મારવામાં આવ્યો હતો.

10 જાન્યુઆરીથી આપવામાં આવનાર ત્રીજા ડોઝમાં કઈ કોવિડ રસી આપવામાં આવશે?
31 વર્ષની મહિલા કિરણ ચૌહાણે પોતાને અન્ય મહિલા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. શનિવારે બપોરે કિરણના ઘરમાં એક અન્ય મહિલા ધસી આવી હતી અને તેમની સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી.

કિરણ જણાવે છે કે, “કથિત રીતે મારા 10 વર્ષના છોકરાએ માર મારનારી મહિલાની 8 વર્ષની દીકરીને સોસાયટીના કોમન પ્લોટમાં રમતા-રમતા માર માર્યો હતો. આ પછી મેં મહિલાને જણાવ્યું હતું કે હું બાંહેધરી આપું છું કે મારો દીકરો ફરી આવી ભૂલ નહીં કરે, આમ છતાં તે ઘરે દોડી આવી હતી અને મારી સાથે મારામારી કરી હતી.”

વધુમાં કિરણ જણાવે છે કે, જ્યારે કિરણ પોતાના દીકરાને મહિલાથી બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે મહિલાએ તેમના પર હુમલો કરી દીધો હતો. કિરણે એવો પણ આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારી મહિલાએ મારા દીકરીને બાલકનીમાંથી ફેંકી દેવાની અને મને મારી નાખવાની ધમકી આપી હતી.

કોરોનાના કેસ વધતાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી, ઓનલાઈન અભ્યાસ પહેલી પસંદ!
વસ્ત્રાપુર પોલીસે હુમલો કરનારી મહિલા સામે ફરિયાદ નોંધી છે. બીજી તરફ 35 વર્ષની બે બાળકોની માતાએ પણ વસ્ત્રાપુર પોલીસમાં સામી ફરિયાદ કરી છે. જેમાં તેમણે પોતાની 8 વર્ષની દીકરીને કિરણના 10 વર્ષના દીકરા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. 35 વર્ષની મહિલા જણાવે છે કે, “જ્યારે મેં મારી દીકરી સાથે બનેલી ઘટના અંગે વાત કરી તો તે મહિલા (કિરણ ચૌહાણ) દ્વારા મારી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને તેમના પતિ નરેન્દ્રસિંહ ચૌહાણ મારા પર ગુસ્સે થઈ ગયા હતા અને બળપૂર્વક મારો હાથ પકડી લીધો હતો.”

મહિલાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું કે નરેન્દ્રસિંહ તેમને ઘેરીને સોસાયટીના કોમન પ્લોટમાં ખેંચી ગયા હતા, જ્યાં તેમણે લાકડીથી માર માર્યો હતો.

મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્રસિંહ દ્વારા તેમની પર અત્યાચાર ગુજારવાની ધમકી આપીને પોતાના પતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા અત્યાચાર કર્યાની અને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ લીધી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *