[ad_1]
હાઈલાઈટ્સ:
- હેડ કલાર્ક પેપર લીક કેસમાં પિક્ચર હજી બાકી, અત્યાર સુધી જયેશ પટેલ સહિત 14 ઝડપાયા
- પેપર લીક કેસમાં અસિત વોરાની ભૂમિકા મુદ્દે પાટીલે કહ્યું કે, શંકા છે, પરંતુ પુરાવા મળ્યા નથી
- પેપર વેચાતું લેનારા 70થી વધુ ઉમેદવારો ભરતી પરીક્ષાઓ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા છે
કૌભાંડ કરોડોને આંબી શકે છે
ઉલ્લેખનીય છે કે, પોલીસ અત્યાર સુધી આ કેસમાં જયેશ પટેલ સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી બે આરોપી પાસેથી જ 50 લાખ રિકવર કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉપરાંત જયેશ પટેલ પાસેથી પણ પોલીસે 25થી 30 લાખ રૂપિયા જપ્ત કર્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ આરોપી પાસેથી પોલીસે લગભગ 75 લાખથી પણ વધુની રકમ જપ્ત કરી છે. જેથી પેપર લીક કૌભાંડ કરોડોને આંબશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
અસિતા વોરાની ભૂમિકા મુદ્દે પાટીલે શું કહ્યું?
પેપર લીક કાંડ મુદ્દે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની સામે આક્ષેપો થયા છે, તેમની સામે શંકા છે પણ પુરાવા મળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારી ભરતીકાંડની ઘટનામાં ભાજપ સાથે જોડાયેલા કોઈ પણ નેતા કે કાર્યકરની ભૂમિકા સ્પષ્ટ થશે તો આકરમાં આકરી કાર્યવાહી થશે. પાટીલના આ નિવેદનથી પરીક્ષા પહેલા ચેરમેન પદેથી અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉમેદવારોએ પરીક્ષામાં વાપરેલા 10 કરોડ પાણીમાં!
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની ભરતીમાં 186 જગ્યા માટે 12 ડિસેમ્બરના રોજ રવિવારે કેન્દ્રો ઉપરો 88000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે, પેપર લીક થયા બાદ આખરે પરીક્ષા રદ થતાં ઉમેદવારોએ સરકારી નોકરી માટે વર્ષોથી મહેનત કરતા યુવાનોમાં સખત રોષ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, નવી પરીક્ષા માટે ફોર્મ ભરવાના નથી પરંતુ, અમારે ફરીથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા 700થી 1500 જેટલો ખર્ચ કરવો પડશે. જે મુજબ 12 ડિસેમ્બરે પરીક્ષા આપનારા 88000 ઉમેદવારોના 10 કરોડથી વધુનો ખર્ચ પાણીમાં ગયો છે.
પેપર લેનારા 77 ઉમેદવારો પરીક્ષા માટે બેલ્કલિસ્ટ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ભરતીઓમાં કોઈપણ ભરતી સંસ્થાનમાં વેચાતુ પેપર ખરીદીને ભરતી પરીક્ષા આપનાર ઉમેદવારને કાયમ માટે બ્લેકલિસ્ટ એટલે કે ગેરલાયક ઠેરવાય છે. હેડ કલાર્કની ભરતીમાં પણ 77 ઉમેદવાર સુધી પેપર, આન્સર કી પહોંચ્યાનું પોલીસ તપાસમાં સામે આવતા તમામને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ લોકો હેડ કલાર્કની નવી પરીક્ષા સહિત તમામ ભરતીઓમાં સામેલ થઈ શકશે નહીં.
[ad_2]
Source link














Leave a Reply