[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Dec 21, 2021, 8:52 PM
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે સામે 73 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10104 પર પહોંચ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
દુનિયાના 89થી વધુ દેશોમાં પ્રસરી ચૂકેલો ઓમિક્રોન હવે બ્રિટન પર કહેર વર્તાવી રહ્યો છે. અહીં ઓમિક્રોનના દર્દીઓમાં ધરખમ વધારા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેના લીધે બોરિસ જોનસનની સરકાર હવે દેશમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ડર સતાવી રહ્યો છ કે, પ્રતિબંધ લાદવામાં નહીં આવે તો ક્રિસમસ દરમિયાન દેશમાં સ્થિતિ બેકાબૂ થઇ જશે. બ્રિટન દુનિયાના એ પ્રમુખ દેશોમાં સામેલ છે જ્યાં સૌથી પહેલા રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વસતીને રસીના બંને ડોઝ લાગી ગયા પછી અહીં ઓમિક્રોનથી સંક્રમિત કેસનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. ઓમિક્રોનને સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં શોધવામાં આવ્યો હતો. જે પછી હોંગકોંગમાં પણ આ વાયરસ પ્રસર્યો હતો, પરંતુ હાલમાં દુનિયાના 89 દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાય ચૂક્યું છે.
ઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply