[ad_1]
અસિત વોરાએ જણાવ્યું કે, તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પરીક્ષા સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે અંગે અસિત વોરાએ મીડિયાને જણાવ્યું કે, આપ દ્વારા અમને કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી. જો તપાસમાં બહાર આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
‘પેપર લીક મુદ્દે કોઈ ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી’
મીડિયાના સવાલોના જવાબ આપતા અસિત વોરાએ જણાવ્યું કે, પેપર લીક થયાના ઓથેન્ટિક પુરાવા મળશે તો જ ફરિયાદ દાખલ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજ દિન સુધી મંડળ પાસે પેપર લીકની કોઈ ફરિયાદ આવી નથી છતાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસની 15થી 16 જેટલી ટીમો કામે લાગી અને તપાસ ચાલી રહી છે.
‘સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ’
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સવારે ગૃહમંત્રી સાથે મીટીંગ થઈ છે જેમાં પોલીસ દ્વારા સઘન તપાસની ચર્ચા થઈ છે. જો પોલીસ તપાસમાં કોઈ કસુરવાર હશે તો કડક પગલા લેવાશે પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી.
અધ્યક્ષે ઉમેર્યુ કે, રાજયના ઉમેદવારોને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાઓને તક પુરી પાડવામા આવી રહી છે.રાજયભરમાથી વિદ્યાર્થીઓ ગાધીનગર ખાતે આવીને પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે એમની મહેનત એળે ન જાય એ માટે સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષાઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
પરીક્ષાનું પરિણામ સ્થગિત કરાયું, આન્સર-કી અટકાવાઈ
અસિત વોરાએ વધુમાં જણાવ્યું કે, ગૃહમંત્રીહર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે આ પેપર લીક મામલા સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું તેમાં મંત્રીએ પોલીસ વિભાગને સંપૂર્ણ નિષ્ઠા સાથે પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસ વિભાગ દ્વારા જે વિગતો મંડળને પ્રાપ્ત થશે ત્યારબાદ મંડળ દ્વારા FIR સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે ત્યાં સુધી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કથિત પેપર લીક થયાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના હિંમતનગરના ખાનગી ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. એવા પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે કે 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું.
[ad_2]
Source link













Leave a Reply