[ad_1]
મોડાસા,તા.22
દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને જિલ્લામાં રાજય સરકારના આદેશ મુજબ
ધોરણ ૧ થી ૫માં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ પુરૂ પાડવાના આદેશને પગલે જિલ્લાની કુલ ૧૬૪૩
શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ ૬૩ ટકા હાજરી પ્રથમ દિવસે નોંધાઈ હતી. જિલ્લા ડીઈઓ અને
ડીપીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગની એસઓપીનું પાલન કરાય તે
માટે જરૂરી નિરીક્ષણ પણ હાથ ધરાયું હતું. .જયારે આગામી દિવસોમાં વાલીઓની વધુ સંમત્તિ
મળે થી ધોરણ ૧ થી ૫ ના વર્ગોમાં બાળકોની સંખ્યા વધશે.
જિલ્લાની ૨૫૪ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ૧૩૮૯ પ્રાથમિક
શાળાઓમાં સોમવારના રોજથી નવા સત્રના પ્રારંભ સાથે જ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આરંભાયું
હતું. દિવાળી વેકેશન પૂરૂ થતાં અને નવા સત્રના પ્રારંભે માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક
અને અપર પ્રાથમિક શાળાઓમાં ૫૦ ટકાની હાજરીના નિયમ મુજબ શાળામાં વિદ્યાર્થીઓ હર્ષભેર
આવ્યા હતા. જયારે ૨૦ મહિના બાદ ધોરણ ૧ થી ૫ ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ પુરૂ પાડવાના
રાજય સરકારના આદેશ બાદ શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧.૧૦ લાખ બાળકો પૈકી પ્રથમ દિવસે
૫૭ ટકા બાળકોની હાજરી નોંધાઈ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ ડીપીઈઓ સમીર
પટેલે જણાવ્યું હતું. વેકેશન બાદ નવા સત્રના પ્રારંભે જિલ્લાની કુલ ૧૬૪૩ શાળાઓમાં ૮૫૦૦થી
વધુ શિક્ષકો અને સરેરાશ ૬૩ ટકા વિદ્યાર્થીઓની હાજરીને લઈ જિલ્લાભરની શાળાઓ વિદ્યાર્થીઓના
કલરવથી ગૂંજી ઉઠી હતી.નવાસત્રના પ્રારંભે તેમજ ધોરણ ૧ થી ૫માં પ્રત્યક્ષ શિક્ષણ આપવાના
આદેશને પગલે જિલ્લા શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલ અને ડીઈઓ ગાયત્રીબેન પટેલ દ્વારા
શાળાઓમાં એસઓપીના પાલનની ચકાસણીને લઈ જરૂરી નિરીક્ષણ હાથ ધરાયું હતું.
[ad_2]
Source link













Leave a Reply