Gujarat Children Vaccination: રાજ્યમાં 15-18 વર્ષના બાળકોના રસીકરણ માટે યોજાશે મેગા ડ્રાઈવ – a mega drive will be organized in the state for vaccination of 15-18 year old children

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં બાળકોના રસીકરણ માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન
  • 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે
  • પ્રિકોશન ડોઝ માટે કુલ 33 લાખથી વધુ વ્યક્તિઓને રસી અપાશે

3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણ અંગે PM નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પણ બાળકોના રસીકરણને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં રાજ્યના 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે.

બાળકોના રસીકરણ માટે 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન મેગા ડ્રાઈવ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 3થી 9 જાન્યુઆરી, 2022થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જૂથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં ૩ જાન્યુઆરી 2022થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલગથી સેશન કરવામાં આવશે.

7 જાન્યુઆરીએ તમામ શાળાઓ અને સંસ્થાઓ ખાતે મેગા ડ્રાઈવ યોજાશે

આ ઉપરાંત ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 7 જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગા ડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા. 8 અને 9મી જાન્યુઆરી, 2022ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2022થી અને ઓનલાઇન રજિસ્ટ્રેશન 3 જાન્યુઆરી 2022ના રોજથી શરૂ થનાર છે.
8 શહેરોમાં 7 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ, રસી લીધી નહીં હોય તો સરકારી કચેરીમાં નો એન્ટ્રી
રાજ્યમાં કુલ 33 લાખથી વધુ હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ અપાશે

તેમજ પ્રિકોશન ડોઝ અંગે માહિતી આપતાં તેઓએ કહ્યું હતું કે, આગામી 10 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહીં. આ જૂથમાં 6,24,092 હેલ્થ કેર વર્કર, 13,44,533 ફ્રંટ લાઇન વર્કર અને અંદાજિત 14,24,600 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33 લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

પ્રિકોશન ડોઝ માટે એસએમએસથી જાણ કરાશે

જે લાભાર્થીને કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધા બાદ 9 મહિના (39 અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોવિડ રસીકરણના સર્ટિફિકેટમાં પણ કરવામાં આવશે. યોગ્યતા ધરાવતાં લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMડથી પણ જાણ કરવામાં આવશે.
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી વધુ નવા કેસ નોંધાયા, બેના મોત
ગુજરાતમાં કુલ વસ્તીના 85.6 ટકા વ્યક્તિઓનું રસીકરણ

આ ઉપરાંત ઋષિકેશ પટેલે ગુજરાતમાં કોરોના રસીકરણની વિગતો આપતા જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં 29 ડિસેમ્બર સુધી 4,68,06,170 (94.8%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 4,22,21,731 (એલીજીબલના 94 % અને કુલ વસ્તીના 85.6 %)લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ 8.90 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9,02,746 ૨સીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

[ad_2]

Source link