stay healthy: આયુર્વેદ અનુસાર, કઈ ફૂડ આઈટમ્સ એકસાથે મિક્સ કરીને ખાવી જોઈએ નહીં? – try your best to avoid wrong/incompatible food combinations inorder to reduce inflammation and stay healthy

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કેટલાંક ફૂડ કોમ્બિનેશન વિશે જણાવ્યું છે કે જેનાથી તમારે બચવું જોઈએ.
  • વિરુદ્ધનો મતલબ વિપરિત છે. કેટલાંક ખાદ્ય પદાર્થ સ્વાભાવિકરીતે હાનિકારક હોય છે.
  • કેટલાંક ખાદ્ય પદાર્થોનું એકસાથે સેવન કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

સ્વસ્થ રહેવા માટે ફૂડ કોમ્બિનેશનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ અનુસાર, દરેક ખાદ્ય પદાર્થનો શરીર પર અલગ પ્રભાવ અને અસર હોય છે. માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનું એકસાથે સેવન કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. આયુર્વેદિક ડૉક્ટર દીક્ષા ભાવસારે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વિરુદ્ધ આહાર સંબંધિત એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેટલાંક ફૂડ કોમ્બિનેશન વિશે જણાવ્યું છે કે જેનાથી તમારે બચવું જોઈએ.


શું છે વિરુદ્ધ આહાર?

ડૉક્ટર દીક્ષા ભાવસાર જણાવે છે કે વિરુદ્ધનો મતલબ વિપરિત છે. કેટલાંક ખાદ્ય પદાર્થ સ્વાભાવિકરીતે હાનિકારક હોય છે. જ્યારે કેટલાંક એવા ખાદ્ય પદાર્થ છે જે એકલા ખાઓ તો ગુણકારી છે પણ જો અન્ય ખાદ્ય પદાર્થ સાથે ખાવામાં આવે તો નુકસાન પહોંચાડી શકે છે. તેને વિરુદ્ધ આહાર કહે છે. જેમ કે માછલી અને દૂધ, ફળ અને દૂધ, શુદ્ધ મધ અને ઘી જેવી બે ગુણકારી ચીજવસ્તુઓ એકસાથે અને ખોટા સમયે લેવામાં આવે તો શરીર પર ઘણી રીતે અસર કરી શકે છે.

q10

ફળ અને દૂધનું સંયોજન

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કેળાને દૂધ, દહીં અને છાશ સાથે ખાવા જોઈએ નહીં. તેનાથી પાચન બગડી શકે છે.

ઘી અને મધનું સમાન માત્રામાં સેવન

ઘી અને મધને સમાન માત્રામાં મિક્સ કરવા જોઈએ નહીં. કારણકે તેનાથી શરીરમાં ઊંધું રિએક્શન થાય છે. ઘી અને મધ એકસાથે સમાન માત્રામાં મિક્સ કરવાની જગ્યાએ કોઈ એકની માત્રા વધારે રાખવી જોઈએ.

માછલી સાથે દૂધનું સેવન

જો માછલી અને દૂધનું એકસાથે સેવન કરવામાં આવે તો શરીર માટે હાનિકારક છે. કારણકે દૂધ ઠંડું હોય છે અને માછલીમાં ગરમ ગુણ હોય છે. ડૉક્ટર ભાવસારના જણાવ્યા અનુસાર, દૂધ અને મીઠાનું એકસાથે સેવન કરવું જોઈએ નહીં.

રાત્રે દહીં ખાવું

શિયાળામાં દહીં અને પનીર ખાવા સારા માનવામાં આવે છે પણ તેનું રાત્રે સેવન કરવું નુક્સાન પહોંચાડી શકે છે. દહીં સામાન્યરીતે શરદ ઋતુ, ગરમી અને વસંતમાં ખાવા જોઈએ નહીં તેવું આયુર્વેદિક પાઠ ચરક અનુસાર જણાવાયું છે. Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *