yellow alert in delhi: દિલ્હીમાં સ્થિતિને કાબૂમાં લેવા ‘યલો એલર્ટ’ જાહેર, ટૂંક સમયમાં જણાવાશે વિસ્તૃત વિગત – yellow alert imposed in delhi by kejriwal govt after rising new cases

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય
  • ફરી સ્થિતિ બેકાબૂ ના બને તે માટે જરુરી પગલા કેજરીવાલ સરકારે ભર્યા
  • અગાઉ સ્થિતિ બેકાબૂ બની હતી તેવું ફરી ના થાય તે માટે કરી છે તૈયારીઓ

નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ઓમિક્રોન કેસમાં વધારો થઈ રહ્યો છે, આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ નિયંત્રણો લાગુ કરવાની વાત કરી છે.

સીએમ કેજરીવાલે જણાવ્યું છે કે, “પાછલા કેટલાક દિવસોમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 0.5%ને પાર કરી ગયો છે. જેના કારણે અમે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAD)નું લેવલ-1 (યલો એલર્ટ) લાગુ કરી રહ્યા છીએ.”

યલો એલર્ટ લાગુ કરવાની જાહેરાત સાથે મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, નિયંત્રણો અંગેની વિસ્તૃત જાહેરાત ટૂંક સમયમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હજુ કોરોના હળવો છે, જેના લીધે હજુ સુધી ઓક્સિજન કે વેન્ટિલેટર બેડની જરુરમાં ઉછાળો આવ્યો નથી.

સસરો નજર બગાડતો હતો, બધાથી કંટાળેલી યુવતી 11 દિવસ અમદાવાદ સિવિલની બહાર રહી
કેજરીવાલે કહ્યું કે, “અગાઉ દિલ્હીમાં કોરોનો રાફડો ફાટ્યો હતો તેના કરતા આ વખતે અમે 10 ગણા વધુ તૈયાર થઈને બેઠા છીએ.”

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે છ મહિના પછી કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, જેમાં એક જ દિવસમાં 331 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના એક્ટિવ કેસનો આંકડો વધીને 1289 થઈ ગયો છે. દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 63 કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા વેરિયન્ટ SARS-CoV-2ના કેસની સંખ્યા વધીને 142 પર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોનાના કેસની ચિંતાની સાથે એક સારી ખબર એ પણ સામે આવી છે કે એક જ દિવસમાં બે રસી કોરબીવેક્સ અને કોવોવેક્સ વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એન્ટી વાયરસ દવા Molnupiravirને પણ મંજૂરી આપવામાં આવી છે.

કમોસમી વરસાદ થતા અમદાવાદ જાણે હિલ સ્ટેશન બન્યું, રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય વધ્યું
ભારતમાં ઓમિક્રોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં સૌથી વધારે 135 કેસ ઉમેરાયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા વધીને 653 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે 26 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોનાના વધુ 1426 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા હતા.

(એજન્સી ઈનપુટ્સ સાથે)

[ad_2]

Source link