[ad_1]
હાઈલાઈટ્સ:
- પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા ત્યારે આ મહિલા પોલીસકર્મીએ જીવન ટુંકાવ્યું હોવાની વિગતો જાણવા મળી રહી છે.
- શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.
- મનીષા ચૌહાણ નામના 34 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મનીષા ચૌહાણ નામના 34 વર્ષીય મહિલા પોલીસકર્મીના ઘરમાં અસહ્ય દુર્ગંધને પગલે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક કોન્સ્ટેબલના પતિ અને પુત્ર જામનગરમાં લગ્નપ્રસંગે ગયા હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
મળતી માહિતી મુજબ, મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે. મહિલા પોલીસકર્મીએ લગભગ 3 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જ્યારે બીજી બાજુ મહિલા પોલીસકર્મીનો પતિ અને પુત્ર જામનગરમાં એક લગ્નપ્રસંગમાં ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
અહીં નોંધનીય છે કે આજથી થોડા મહિના અગાઉ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટના બાદ રાજ્યના અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મહિલા LRD પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. જણાવી દઈએ કે, 15 જુલાઈના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉમેશ ભાટીએ સવારે આપઘાત કરતાં પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે નવ વાગ્યાના અરસામાં ફરજ પર રહેલા ઉમેશ ભાટીએ પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રુમને અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ અંતિમ પગલું ભર્યું હતું. તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply