why india helps myanmar?: 10 લાખ વેક્સિન અને 10 હજાર ટન ઘઉં-ચોખા, મ્યાન્મારની સૈન્ય સરકાર પર ભારત કેમ મહેરબાન? – 10 lakh vaccine dose and 10 thousand tons wheat-rice, why is india kind to myanmar’s military government?

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મ્યાન્મારની સૈન્ય સરકારને પોતાના પક્ષમાં લેવા ભારતના પ્રયાસ
  • દુશ્મન દેશ ચીનની નજર મ્યાન્માર પર, આતંકીઓને પણ કરે છે મદદ
  • ભારતે મ્યાન્મારમાં કર્યું છે કરોડો રુપિયાનું રોકાણ, ચીનની નજીક ન જાય તે માટેની રણનીતિ

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા મ્યાન્મારના બે દિવસના પ્રવાસ પર હતા. આ દરમિયાન ભારતે મ્યાન્મારની સૈન્ય સરકારને કોરોના રસીના 10 લાખ ડોઝ અને 10 હજાર ટન ચોખા અને ઘઉંની આપૂર્તિ કરી છે. પણ હવે આ યાત્રા અને સહાયને લઈને લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. શું ભારત સરકાર મ્યાન્મારની સૈન્ય સરકારની સાથેના સંબંધને સ્વીકારી રહી છે? સેના દ્વારા નાગરિક સરકારનું તખ્તાપલટ મારફતે સત્તા પર કબ્જો જમાવનાર જનરલો સાથે સંબંધ બનાવવા ભારત માટે કેટલાં યોગ્ય છે?

ભારત સરકારે મ્યાન્માર માટે ખોલ્યો ખજાનો

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે પાડોશી દેશ મ્યાનમારને કોરોના વાયરસની રસીના 10 લાખ ડોઝ અને માનવીય સહાયતા હેઠળ 10 હજાર ટન ચોખા અને ઘઉંની આપૂર્તિ કરી છે. રસીના 10 લાખ ડોઝ મ્યાન્માર રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યા છે. અને આ ડોઝનો ઉપયોગ ભારતની સીમા પાસે મ્યાન્મારની સીમા પર રહેતાં લોકો માટે કરવામાં આવશે.

અસમ રાઈફલ્સ પર કરાયેલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

વિદેશ સચિવ શ્રૃંગલાએ મ્યાન્મારના ટોચના અધિકારીઓની સમક્ષ દક્ષિણ મણિપુરમાં ચુરાચંદપુર જિલ્લામાં અસમ રાઈફલ્સના કાફલા પર થયેલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી. તેમની પત્ની અને આઠ વર્ષના પુત્રની સાથે ચાર જવાન શહીદ થઈ ગયા હતા. ભારતે સીમા પર આવેલ વિસ્તારોમાં હિંસા રોકવા તથા શાંતિ સ્થાપિત કરવા માટે જોર આપવામાં આવ્યું હતું.
શું કોંગ્રેસ હિન્દુ અને હિન્દુત્વના મુદ્દે ભાજપને ટક્કર આપી શકશે ખરી?
ભારતે મ્યાન્મારમાં કર્યું છે મોટું રોકાણ

મ્યાન્મારમાં ચીનની ઉપસ્થિતિથી ભારત સતર્ક છે. ચીને સંયુક્ત રાષ્ટ્રમાં અનેક વખત મ્યાન્મારની સૈન્ય સરકારની મદદ કરી છે. આ મારફતે ચીન પોતાના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવને ભારત સીમા સુધી પહોંચાડવા માગી રહી છે. અને આ જ કારણ છે કે, ભારત મ્યાન્મારમાં મોટા પાયે વિકાસ કામોમાં રોકાણ કરી રહ્યું છે. ભારત મ્યાન્મારમાં સિત્તવે પોર્ટની સાથે સિત્તવે અને પાલેત્વામાં 78 મિલિયન ડોલરના ખર્ચે જળમાર્ગ પરિવહન ટર્મિનલનું નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત પણ અનેક પ્રોજેક્ટ્સમાં ભારતે રોકાણ કરેલું છે.

મ્યાન્માર પર ચીનની નજર, આતંકીઓને કરે છે મદદ

ચીન મ્યાન્મારને બેલ્ટ એન્ડ રોડ યોજનામાં સામેલ થવા દબાણ કરી રહ્યું છે. અને આ માટે તે મ્યાન્મારના ઉગ્રવાદી સંગઠનો અને આતંકીઓને ચીનમાં બનેલાં હથિયારો આપી રહી છે, જેનો ઉપયોગ સુરક્ષાદળો પર કરવામાં આવે છે. ભારતમાં હુમલાઓ કરતાં આતંકી સંગઠનો સાથે પણ ચીનના સંબંધ છે. ભારતમાં આતંકી હુમલાઓ કરીને આતંકીઓ મ્યાન્મારની સીમાઓમાં જતાં રહે છે.
શું છે કોલ્ડ ડે અને કોલ્ડ વેવ વચ્ચેનું અંતર! આગામી 3 દિવસ કાતિલ ઠંડીથી બચીને રહેજો
મ્યાન્મારની સૈન્ય સરકાર ચીનની નજીક ન જતી રહી એટલે ભારત થયું સક્રિય?

મ્યાન્મારની સૈન્ય સરકાર ચીનની નજીક રહી તો ભારત માટે મોટો ખતરો બની જશે, આ વાત સરકાર જાણે છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો અને પૂર્વ એશિયાના સંગઠન દેશો આસિયાને મ્યાન્માર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં ભારત દ્વારા મ્યાન્મારની સૈન્ય સરકાર સામે દોસ્તીનો હાથ કાંઈ સમજી વિચારીને જ વધારવામાં આવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *