[ad_1]
હાઈલાઈટ્સ:
- દેશમાં દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે
- હૈદરાબાદ હાઇકોર્ટે પણ યુપી વિધાનસભા ચૂંટણી રદ કરવા માટે અપીલ કરી હતી
- આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, સામે કોરોના કેસ પણ વધ્યા છે
હવે આ મુદ્દે બીજેપીના સાંસદ વરુણ ગાંધીએ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે સોમવારે ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાના નિર્ણય અને ચૂંટણી પ્રચાર માટે યોજવામાં આવતી રેલીઓ સામે વાંધા ઉઠાવ્યો છે. તેમનું કહેવુ છે કે, રાત્રે કર્ફ્યું લગાવું અને દિવસે રેલીઓમાં લાખો લોકોને ભેગા કરવાનું સમજ બહાર છે. વિતેલા થોડા સમયથી પીલીભીતથી સાંસદ વરુણ ગાંધીએ પાર્ટી લાઇન વિરુદ્ધ બોલતાં જોવા મળી રહ્યા છે. આ પહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરીને તેમણે બીજેપી સરકારનો વિરોધ કર્યો હતો.
વરુણ ગાંધીએ સોમવારે ટ્વીટ કરી-રાતમાં કર્ફ્યુ લગાવુ અને દિવસે રેલીઓમાં લાખો લોકોને ભેગા કરવા, આ સામાન્ય માણસની સમજથી પરે છે. આ ટ્વીટમાં વરુણ ગાંધીએ કહ્યું છે- રાજ્યની મર્યાદિત આરોગ્ય સેવાને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનો સમય આવી ગયો છે કે ઓમિક્રોનના પ્રસારને રોકવો કે ચૂંટણી પ્રચારને.
વરુણ ગાંધીએ ઉલ્લેખ કર્યો છે કે, સૌથી વધુ કોરોના સંક્રમણ દિવસ દરમિયાન ફેલાય છે કારણ કે રાત્રિના સમયે રોડ પર ઓછા લોકો હોય છે. તેમણે સામાજિક કાર્યક્રમો પર કાપ મૂકવા માટે આહ્વાન કર્યું છે. જે કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ બની શકે છે.
દેશમાં વધી રહેલા કોરોના કેસને મુદ્દે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને રદ કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં જ હૈદરાબાદ હાઇકોર્ટે પણ યુપી વિધાનસભા ચૂંટણી રદ કરવા માટે અપીલ કરી હતી. જોકે ચૂંટણી પંચે હજુ સુધી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી પરંતુ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે. એવામાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધી રહ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply