varun gandhi: ‘રાત્રે કર્ફ્યુ અને દિવસે રેલીઓ, સમજની બહાર છે’ વરુણ ગાંધીએ કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ – varun gandhi said on night curfew and election rallies during increse cases of covid

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દેશમાં દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે
  • હૈદરાબાદ હાઇકોર્ટે પણ યુપી વિધાનસભા ચૂંટણી રદ કરવા માટે અપીલ કરી હતી
  • આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, સામે કોરોના કેસ પણ વધ્યા છે

કાનપુરઃ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં અચાનક આવેલો ઉછાળામાં પરિસ્થિતિઓ ચિંતાજનક બની રહી છે. આ માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યો સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને યોગ્ય અને કડક પગલાં લેવાના આદેશ પણ આપી રહી છે, પરંતુ સાથે સાથે આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી માટે જોશભેર રેલીઓ યોજીને લાખો લોકોને ભેગા કરી રહી છે. કોરોનાના વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશ અને રાજધાની દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે.
હવે આ મુદ્દે બીજેપીના સાંસદ વરુણ ગાંધીએ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે સોમવારે ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાના નિર્ણય અને ચૂંટણી પ્રચાર માટે યોજવામાં આવતી રેલીઓ સામે વાંધા ઉઠાવ્યો છે. તેમનું કહેવુ છે કે, રાત્રે કર્ફ્યું લગાવું અને દિવસે રેલીઓમાં લાખો લોકોને ભેગા કરવાનું સમજ બહાર છે. વિતેલા થોડા સમયથી પીલીભીતથી સાંસદ વરુણ ગાંધીએ પાર્ટી લાઇન વિરુદ્ધ બોલતાં જોવા મળી રહ્યા છે. આ પહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરીને તેમણે બીજેપી સરકારનો વિરોધ કર્યો હતો.

વરુણ ગાંધીએ સોમવારે ટ્વીટ કરી-રાતમાં કર્ફ્યુ લગાવુ અને દિવસે રેલીઓમાં લાખો લોકોને ભેગા કરવા, આ સામાન્ય માણસની સમજથી પરે છે. આ ટ્વીટમાં વરુણ ગાંધીએ કહ્યું છે- રાજ્યની મર્યાદિત આરોગ્ય સેવાને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનો સમય આવી ગયો છે કે ઓમિક્રોનના પ્રસારને રોકવો કે ચૂંટણી પ્રચારને.
ઓમિક્રોનના ડર વચ્ચે દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુનું એલાન, વધી રહ્યા છે કોરોનાના કેસ
વરુણ ગાંધીએ ઉલ્લેખ કર્યો છે કે, સૌથી વધુ કોરોના સંક્રમણ દિવસ દરમિયાન ફેલાય છે કારણ કે રાત્રિના સમયે રોડ પર ઓછા લોકો હોય છે. તેમણે સામાજિક કાર્યક્રમો પર કાપ મૂકવા માટે આહ્વાન કર્યું છે. જે કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ બની શકે છે.
અલ્હાબાદ HCએ ચૂંટણી પંચ અને PMને યુપીની ચૂંટણી સ્થગિત કરવા અંગે વિચારવા કહ્યુંદેશમાં વધી રહેલા કોરોના કેસને મુદ્દે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને રદ કરવાની માંગ ઉઠી રહી છે. હાલમાં જ હૈદરાબાદ હાઇકોર્ટે પણ યુપી વિધાનસભા ચૂંટણી રદ કરવા માટે અપીલ કરી હતી. જોકે ચૂંટણી પંચે હજુ સુધી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી પરંતુ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે. એવામાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધી રહ્યું છે.
ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ માટે કડક નિયમો બનાવે રાજ્યોની સરકાર, કેન્દ્રએ આપ્યો આદેશ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *