vaccine to between the ages of 15 to 18: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને 3જી જાન્યુઆરીથી સ્કૂલમાં જ અપાશે વેક્સિન – vaccine will be given to children between the ages of 15 to 18 in schools in gujarat form 3 january

[ad_1]

અમદાવાદઃ દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ થશે. રાજ્યાના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ માહિતી આપી છે. મહત્વનું છે કે, કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં કોરોના અને ઓમિક્રોન વાયરસને લઈને સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રસીકરણ અંગે વાત કરતા કહ્યું કે, દેશમાં ચિંતાનો વિષય બનેલો ઓમિક્રોન વેરિયન્ટ અને 15થી 18 વર્ષના બાળકોને રસી, હેલ્થકેર વર્કર્સ ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રોત્સાહક ડોઝ આપવામાં માટે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આજે રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યો કેવી તૈયારીઓ છે એની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મનોજ અગ્રવાલે આગળ વાત કરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો, વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા માટે વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. જેના માટે રાજ્યોની વિવિધ શાળાોમાં રૂટિનમાં જે વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે, તેની સાથે જ વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. આ સિવાય હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત શાળાએ ન જતાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે. જેના માટે રાજ્યભરમાંથી 30 લાખ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગે એકત્ર કર્યો છે. આના માટે રાજ્ય સરકાર પાસે પૂરતો રસીનો જથ્થો પણ ઉપલબ્ધ છે.
ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ‘જર્સી’ની રિલીઝ ડેટ ટળી, 31મીએ થવાની હતી રિલીઝ
મનોજ અગ્રાવલના જણાવ્યા મુજબ, રાજ્યના હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને સિનિયર સિટીઝન્સને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનો નિર્ણય કેન્દ્ર સરરાકરે કર્યો છે. જે માટે સંપૂર્ણ આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય બીજા સારા સમાચાર એ પણ છે કે, જે લોકોએ બંને રસીના ડોઝ લીધા હોય અને તેઓને 39 અઠવાડિયાનો સમય થઈ ગયો હોય એવા નાગરિકોને પણ પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. હાલ રાજ્યમાં 6.24 લાખ હેલ્થ કેર વર્કર્સ અને 3.19 લાખ ફ્રંટ લાઈન વર્કર્સ મળીને કુલ 6.40 લાખ લોકો રસી મેળવવા પાત્ર છે. આ તમામ લોકોને આગામી 10 જાન્યુઆરીથી આ પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી હાથ ધરાશે. બાદમાં જે લોકો રસી મેળવવા પાત્ર થતા જશે તેમ તેમ એ લોકોને પણ પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી હાથ ધરવા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
મંગળવારે નિફ્ટીમાં રહી તેજી, દિવસના નીચલા સ્તરેથી આ સ્ટોક્સે કરી રિકવરી
ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન્સને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં 37 હજાર લોકો પાત્રતા ધરાવે છે. એ લોકોને પણ પ્રોત્સાહક ડોઝ આગામી 10મી જાન્યુઆરીથી આપવામાં આવશે. આ સિવાય જેમ જેમ વયસ્ક લોકો પાત્રતા ધરાવતા થશે તેમ તેમ તમામને પ્રોત્સાહક ડોઝ અપાશે. હાલ રાજમાં 45 લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જેમ જેમ રાજ્યમાં રસીની જરૂરિયાત ઊભી થશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડૉગ્સ પાછળ મહિને હજારો રુપિયા ખર્ચી રહ્યા છે અમદાવાદીઓ!

[ad_2]

Source link