vaccination for children aged 15 to 18: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન – vaccination campaign for children aged 15 to 18 in the state from 3 january

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે ખાસ વેક્સિનેશન અભિયાન
  • 15થી 18 વર્ષના 36 લાખ બાળકોને રસી આપવાનું આયોજન, તમામને આવરી લેવાશે
  • દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો, માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સંસ્થાઓ પણ આવરી લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આગામી 3થી 9 જાન્યુઆરી દરમિયાન કોરોના વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને આવરી લેવાશે. તો 7 જાન્યુઆરીએ મહાઅભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તેવા પ્રયાસ કરાશે. આ માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી હતી. જે અંતર્ગત રાજ્યના મન્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો સાથે અભિયાનની તૈયારીઓની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

મનોજ અગ્રવાલે મીડિયાને આ માહીતી આપતા જણાવ્યું કે, બાળકોને કોરોના વેક્સિન આપવા માટે તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજ્યના 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે. જેમાં શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ સમાવી લેવાશે. આ સિવાય દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય એવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવામાં આવશે.
ખેડા: LRD ભરતીની દોડ પૂરી કરી ઊંઘી ગયેલો યુવક ઉઠ્યો જ નહીં, ડૉક્ટર્સે મૃત જાહેર કર્યો
મનોજ અગ્રવાલે આગળ વાત કરતા કહ્યું કે, આ બાળકોને હાલ રસીનો પહેલો ડોઝ અપાશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500થી પણ વધુ સેન્ટર્સ કાર્યરત કરાશે. સાથે જ સ્થાનિક કક્ષાએ જરૂરિયાત પ્રમાણે સેશન પણ વધારવામાં આવશે. સેશનનો હાલનો જે સમય સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધીનો છે એ પણ વધારવાનું આયોજન કરાયુ છે.

બાળકોના રસીકરણ માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. આ સિવાય ઓન ધ સ્પોટ પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. બાળકના આધારકાર્ડ કે ડ્રાઈવીંગ લાઈસન્સથી રજિસ્ટ્રેશન કરી શકાશે. જો કોઈ બાળક પાસે આ પુરાવા ન હોય અને તે રસીથી વંચિત ન રહી જાય એ માટે તેના માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યના મોબાઈલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરી રસી આપવામાં આવશે.
અરવલ્લીમાં થર્ટીફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા
મનોજ અગ્રવાલે જણાવ્યું કે, અભિયાન હેઠળ આગામી 7 જાન્યુઆરીએ રાજ્યભરમાં ખાસ મહાભિયાન હાથ ધરાશે. જેમાં તમામ બાળકો અને ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકોના રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેથી આ બાળકોને બોર્ડના સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. તો 60 વર્ષથી વધુ વયના લોકો, ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સને પણ આગામી 10 જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં અંદાજે 13થી 14 લાખ લોકોનો ડેટા આરોગ્ય વિભાગેએ એકત્ર કર્યો છે. તેમજ બીજા ડોઝના 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય એવા લાકોને પ્રોત્સાહક ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોડી રાત્રે નાસભાગ બાદ સવારે વૈષ્ણોદેવીમાં કેવી છે સ્થિતિ?

[ad_2]

Source link