umiya mata temple sola: ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી મેં આજ સુધી નથી જોયા: નીતિન પટેલ – have never seen humble cm like bhupendra patel says nitin patel

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા
  • પાટીદારોને ઉદાર બનવા, એકબીજાને જાણવા તેમજ સમજવા અને સ્વીકારવાની સલાહ
  • જે પણ સમાજ આગળ આવવા માગતો હશે તેની સાથે ઉભા રહેવાની સરકારની પૂરી તૈયારી: CM

અમદાવાદ: સત્તામાંથી અચાનક થયેલી વિદાય બાદ પોતે નારાજ છે તેવી ચર્ચાઓ અને અટકળો વચ્ચે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે. શનિવારે અમદાવાદના સોલા વિસ્તારમાં બનનારા ઉમિયાધામ કેમ્પસ અને મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમણે આજ સુધી ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી નથી જોયા. બધાની સાથે હળીભળી જવાની ભૂપેન્દ્રભાઈની જે પદ્ધતિ છે તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રીમાં પોતે જોઈ છે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું.

નીતિન પટેલે કહ્યું હતું કે, આ વાત તેઓ માત્ર ભૂપેન્દ્ર પટેલના વખાણ કરવા નથી કહી રહ્યા, પરંતુ પાટીદાર સમાજે કેવા સીએમ ભાજપને આપ્યા છે તે જણાવવા કહી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાના હતા તે વખતનો એક પ્રસંગ ટાંકીને નીતિન પટેલે જણાવ્યું હતું કે, શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે પોતાને ફોન કરીને જણાવ્યું હતું કે શપથ લેતા પહેલા મારે તમારા આશીર્વાદ લેવાના છે. આવો વિચાર કોઈ નિરાભિમાની જ કરી શકે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું. આ જ રીતે તેઓ પ્રોટોકોલને નેવે મૂકીને બેસતા વર્ષે પણ પોતાના ઘરે આવ્યા હતા.

અમદાવાદમાં બની રહેલા બે ઉમિયાધામ અંગે સ્પષ્ટતા કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનેક પાટીદારો આ પ્રશ્ન તેમને પૂછી રહ્યા છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની હદ ખૂબ જ વિસ્તરી રહી છે. વળી, વિશ્વ ઉમિયાધામ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાનું તમામ પાટીદારોની લાગણી છે. પરંતુ બંને ઉમિયાધામ વચ્ચે કોઈ હરિફાઈ નથી. કેટલાક લોકો ખોટી રીતે આ વાતને આગળ લઈ જઈ ખોટું ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ કરે છે. નીતિન પટેલે કહ્યું હતું કે, પોતે બંને સંસ્થા સાથે સંકળાયેલા છે. એટલા માટે પોતે કહે છે કે બંને સંસ્થા વચ્ચે કોઈ હરિફાઈ નથી. કોઈનું નામ કે ઉલ્લેખ કર્યા વિના નીતિન પટેલે એવી ટકોર પણ કરી હતી કે બધા થોડા ઉદાર બનો, એકબીજાને સમજતા, સ્વીકરાતા અને અપનાવતા થાઓ. જ્યારે જરુર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરુપ બતાવવાની તૈયારી રાખવી પડશે. આપણું સંગઠન હોય ત્યારે જ આ શક્ય બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ દરેક સમસ્યાનું સમાધાન છે. તેનાથી ગુજરાત અને દેશ બંનેને ફાયદો થશે. જે પણ સમાજ આગળ આવવા માગતો હોય તેની સાથે ઉભા રહેવાની સરકારની પૂરી તૈયારી છે. દરેક સમાજમાં શિક્ષણ વધ્યું તો ઘણી સમસ્યાનો ઉકેલ આવશે. આ વાત દરેક સમાજ સમજતો થયો છે, અને તેના સારા પરિણામ આવી રહ્યા છે. હાલ પાટીદાર સમાજથી માંડી દરેક સમાજ ખૂબ મોટા પ્રોજેક્ટ મૂકી રહ્યા છે. જો આ તમામ પ્રોજેક્ટ શરુ થાય તો તેનાથી લોકોને રોજીરોટી મળશે અને નાણાકીય રીતે ખૂબ મોટું રોટેશન પણ થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *