two snake charmers cheated rs 30000: ‘આખા ગામ પર કાળ યોગ, બચવાનો એકમાત્ર રસ્તો’, કહીને બે મદારીઓએ 30 હજારના તાવીજ વેચી લોકોને છેતર્યા – two snake charmers cheated rs 30,000 from people of palmu village jharkhand

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગામમાં એક બાળકને સાપ કરડતા તેનું મોત નીપજ્યું હતું, પરિવારજનો શોકમાં હતા
  • બે મદારીઓ ગામમાં પહોંચ્યા અને બાળકને જીવતો કરવાનો જોરદાર દાવો કર્યો
  • મૃત બાળકના પિરવારજનો અને લોકને ડરાવ્યા અને તાવીજ લેવા મજબૂર કર્યા

રાંચીઃ ઝારખંડના પલામૂ જિલ્લાના કાદલકુર્મી ગામમાં સાપના ડંખવાથી એક બાળકનું મોત થયુ હતુ. આ વાતનો ફાયદો ઉઠાવવા માટે બે મદારીઓ નાંવ ગામ પહોંચ્યા અને પહેલાં બાળકને જીવતો કરવાનો દાવો કર્યો અને પછી આખા ગામમાં લગભગ 30 હજારના તાવીજ વેચી લોકોને છેતરીને ચાલતી પકડી. પ્રાપ્ત જાણકારી મુજબ, ગામમાં રહેતા પ્રમોદ રજવારના 6 વર્ષીય દીકરા શિવ કુમારને શુક્રવારની સવારે સાપ કરડ્યો હતો. એ પછી તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારના લોકો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનું છોડીને મદારીઓની વાતમાં આવી જઈ જાદૂથી બાળકને જીવતો કરવાની વાતોમાં આવી ગયા.

કહેવામાં આવી રહ્યું છે કે, બાળકને પહેલાં હુસૈનાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રસ્તામાં જ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો. એ જ બાળકને જીવતો કરવાનો દાવો કરતા બે મદારીઓ શનિવારે ગામમાં પહોંચ્યા હતા. બાદમાં મૃત બાળકને બે કલાકમાં જીવતો કરવાનો દાવો કર્યો અને પૂજા પાઠની સામગ્રી મંગાવી.
વર્ષ 2022 માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઃ ભારતમાં તીડના હુમલાને કારણે ભૂખમરો સર્જાશે
નાગ-નાગણના જોડાએ બાળકને ડંખ માર્યોઃ મદારી
ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો ગામમાં પહોંચવા લાગ્યા હતા. મદારીઓએ કહ્યું કે, બાળકને જે સાપે ડંખ માર્યો હતો તે હજુ પણ ઘરમાં જ છે. તેને બહાર કાઢીને ઝેર પાછુ ચૂસવા માટે મજબૂર કરીશું. આ દરમિયાન એક મદારી તેનો થેલો લઈને ઘરમાં ગયો અને તેણે ઘરમાંથી બે સાપ કાઢ્યા. પછી કહ્યું કે આ એ જ નાગ-નાગણ છે, જેમાંથી એકે બાળકને ડંખ માર્યો હતો.

‘નહીં તો બાળક નાગ બની જશે’, ફિલ્મી સ્ટોરી સંભળાવી
સાપના જોડાને પકડ્યા પછી મદારીએ ફિલ્મી સ્ટાઈલમાં ગામના લોકો સામે એક જૂઠ્ઠી વાર્તા ઘઢી કાઢી અને કહ્યું કે, જો નાગ આ ઝેર ચૂસી લેશે તો તેનું મોત થઈ જશે, પછી એ બાળક જ નાગ બની જશે. નાગણ પોતાના પતિની મોતનો બદલો લેવા માટે આખા પરિવારના લોકોને ડંખ મારશે. એટલે એ સારૂ રહેશે કે બંને સાપોને ઘરમાંથી બહાર કાઢવામાં આવે. હવે બાળક જીવતું થઈ શકે એમ નથી.
લગ્ન પહેલા પત્નીએ છુપાવી હતી માનસિક બીમારી, દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડાને આપી મંજૂરી
આખા ગામના લોકોએ 30 હજારના તાવીજ ખરીદ્યા
આ દરમિયાન બંને મદારીઓએ પૂજા પાઠના નામે પરિવારજનો પાસેથી રૂપિયા પડવ્યા. બંને મદારીઓએ મૃત બાળકના પરિવારજનો સહિત અન્ય લોકોને પણ ઠગવાની યોજના બનાવી. તેઓએ દાવો કર્યો કે આખા ગામ પર કાળ યોગ છે. એનાથી બચવાનો એકમાત્ર રસ્તો છે કે ગામના લોકો તાવીજ પહેરી લે. એ પછી તાવીજ લેવા માટે ગામના લોકોએ પડાપડી કરી હતી. આ ગામના જ લોકો નહીં આસપાસના ગામના લોકો પણ તાવીજ લેવા પહોંચ્યા હતા. આ તમામ લોકોએ લગભગ 30 રૂપિયા આપીને તાવીજ ખરીદી લીધા. એ પછી લોકોને છેતરીને બંને મદારીઓ ત્યાંથી બિન્દાસ્ત નીકળી ગયા.

ગોંડલના સુલતાનપુર ગામમાં સિંહ પરિવારના ધામા, ગ્રામજનોમાં ભયનો માહોલ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *