[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 19, 2021, 7:04 PM
પાંડેસરાના તેરે નામ ચોકડી પાસે બે મિત્રો ઊભા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા

હાઈલાઈટ્સ:
- પાંડેસરાના તેરે નામ ચોકડી પર બે મિત્રોને મોતને ઘાટ ઉતારી દેવાયા
- બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો હત્યા કરીને થયા ફરાર
- પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી, હત્યાનું કારણ અકબંધ
હત્યાની આ ઘટના પાંડેસરા વિસ્તારમાં શનિવારે રાત્રે બની હતી. હત્યાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત એવી છે કે, પાંડેસરા વિસ્તારમાં ભોલા ઉર્ફે શિવશંકર જયસ્વાલ અને પ્રવીમ બાબુલાલ સોલંકી નામના બે મિત્રો રહે છે. આ બંને મિત્રો ગઈ રાત્રે તેરે નામ ચોકડી પાસે ઊભા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ અજાણ્યા શખ્સોએ પ્રવીણ સોલંકી પર તાબડતોડ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ જોઈને તેનો મિત્રો શિવશંકર બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ શિવશંકરને પણ ચપ્પાના ત્રણ જેટલા ઘા માર્યા હતા. જે બાદ બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. જીવલેણ હુમલો કરીને બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ હુમલામાં શિવશંકરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બંને મિત્રોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પીડિતો અને આરોપીઓ વચ્ચે કયા કારણોસર આ ઘટના બની એની તપાસ પણ પોલીસ કરી રહી છે.
ડાયમંડ રિંગ ચોરી રહેલાં શખ્સને સેલ્સ ગર્લે આ રીતે પકડાવ્યો
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply