three family member drowned in mahisagar: મહીસાગર નદીમાં ડૂબી જતા વડોદરાના એક જ પરિવારના 3 લોકોનાં મોત – three family member died after drowned in mahisagar river in padra

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સન્યાસ લીધેલા આ પરિવારની માતા અને બે પુત્રો કરખડી ગામે આવ્યા હતા
  • નાનો પુત્ર મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો અને તણાયો હતો
  • પુત્રને બચાવવા માતાએ નદીમાં ઝંપલાવ્યું, બંનેને બચાવવા મોટા પુત્રએ પણ ઝંપલાવ્યું

પાદરાઃ વડોદરા જિલ્લાના પાદરામાંથી એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાંથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી વડોદરાના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં માતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયુ છે. મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા નાના પુત્રને તણાતો જોઈને તેને બચાવવા માટે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું. એ પછી માતા પણ તણાતા મોટા પુત્રએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું.

જે બાદ ત્રણેય લોકો નદીના વહેણમાં તણાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિકોએ નદીમાંથી માતા અને મોટા પુત્રને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ પહોંચી હતી. બાદમાં તણાયેલા નાના પુત્રને વડોદરા ફાયર વિભાગની ટીમે એક કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો. જો કે, આ ઘટનામાં માતા અને બે પુત્ર મળી ત્રણેયના મોત થયા હતા.
ચલાલામાં એક ઘરમાં આગ લાગતા માતા સહિત 2 દીકરીઓ જીવતા ભડથું થયા
બનાવની વિગત એવી છે કે, ત્રણેય મૃતકો મૂળ કરખડી ગામના વતની અને હાલ વડોદરાના તરસાલીયામાં સાઈબાબા મંદિરમાં સન્યાસી તરીકે રહેતા હતા. વ્યાસ પરિવારની માતા અને બે પુત્રોના મહીસાગર નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. મૃતકોમાં 40 વર્ષીય માતા જ્યોતિબેન હેમંતભાઈ વ્યાસ, 12 વર્ષીય અભય વ્યાસ અને 10 વર્ષીય મિતેશ વ્યાસનો સમાવેશ છે. આ લોકો કરખડી ગામે આવ્યા હતા. આજે બપોરે નાનો પુત્ર મિતેશ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો.

એ સમયે કોઈ કારણોસર મિતેશ મહીસાગર નદીના પાણીના વહેણમાં તણાયો હતો. પુત્રને તણાતો જોઈને જ્યોતિબેને તેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. કમનસીબે બંને ડૂબવા લાગ્યા હતા. આ જોઈને મોટો પુત્ર અભય દોડી આવ્યો અને તેઓને બચાવવા માટે તેણે પણ નદીમાં ઝંપલાવ્યું હતું. માતા અને ભાઈને બચાવવા માટે તે પણ નદીના પાણીમાં તણાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
આર્થિક સહાયની લાલચમાં ફસાઈ અમદાવાદની મહિલા, આબુ લઈ જઈ સંબંધીએ આચર્યું દુષ્કર્મ
સ્થાનિકોએ ગમે તેમ કરીને માતા જ્યોતિબેન અને પુત્ર અભયને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બાદમાં સ્થાનિકોએ તેઓને સારવાર માટે પાદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરા ફાયર વિભાગની ટીમે નાના પુત્ર મિતેશને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

એક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે મિતેશને મહીસાગર નદીના ઊંડા પાણીમાંથી શોધીને બહાર કાઢ્યો હતો. મિતેશને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માતા અને બંને પુત્રોને મૃત જાહેર કર્યા હતા. બાદમાં વડુ પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે વડુ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં ભારે શોક ફેલાયો હતો.

Video: બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયેલા યુવક પર ટ્રક ફરી વળતાં મોત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *