swaminarayan mahant anandpriydasji: મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી પંચમહાભૂતમાં વિલીન – funeral of maninagar kumkum swaminarayan temple mahant anandpriydasji held at hirapur kukum seve kendra

[ad_1]

| I am Gujarat | Updated: Dec 19, 2021, 4:54 PM

અમદાવાદના મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનું શનિવારે બપોરે નિધન થઈ ગયું હતું. તેમના આજે હિરાપુર કુમકુમ સેવા કેન્દ્ર ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

 

હાઈલાઈટ્સ:

  • મહંત આનંદપ્રિયદાસજીનું 101 વર્ષની વયે શનિવારે નિધન થઈ ગયું હતું.
  • પાલખીયાત્રા બાદ હરિપુરા કુમકુમ સેવા કેન્દ્રમાં અંતિમ સંસ્કાર કરાયા.
  • તેમણે જ વર્ષ 1993માં મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી.

અમદાવાદ: અમદાવાદના મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનું શનિવારે બપોરે નિધન થઈ ગયું હતું. તેઓ 101 વર્ષના હતા. હિરાપુર કુમકુમ સેવા કેન્દ્ર ખાતે રવિવારે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મણિનગર ખાતે મહંત આનંદપ્રિયદાસજી સ્વામી પર શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને વિવિધ જળથી અભિષેક કરાયો હતો. સંતો-હરિભક્તોએ પૂજા-અર્ચના અને આરતી કર્યા બાદ મણિનગરથી જવાહર ચોક વિસ્તારમાં તેમના પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
અમદાવાદની અમુક શાળાઓએ છુપાવ્યા કોરોનાના કેસ? વાલીઓમાં ફેલાયો ભય
બપોરે આ પાલખીયાત્રા હિરાપુર કુમકુમ સેવા કેન્દ્ર પહોંચી હતી અને ત્યાં તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે શાહીબાગની અક્ષરપુરુષોત્તમ સંસ્થા, એસએમવીએસ સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા, જગન્નાન મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટીના સંતો પધાર્યા હતા.
અમદાવાદમાં શરૂ થઈ ટ્રાફિક ડ્રાઈવ, બાળકોને વાહન ચલાવા આપનારા બે વાલીઓ સામે કેસ દાખલ
આનંદપ્રિયદાસજી સ્વામી અને મુક્તજીવન સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ.સ. 1948માં સૌ પહેલી વખત આફ્રિકા ગયા હતા. આનંદપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ વગેરે દેશોમાં સાતથી વધુ વખત સત્સંગ પ્રચાર કર્યો છે. તેમણે લંડનમાં વિશાળ મંદિર પણ સ્થાપ્યું છે. તેમણ 1200થી વધુ પેજનો અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ, હરિની સર્વોપરિતા વગરે સાત ગંથોની રચના કરી. તેમણે પંચમહાલ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ઘણા લોકોને વ્યસન મુક્ત કરીને મંદિરો સ્થાપ્યા છે.

આનંદપ્રિયદાસજી સ્વામીએ રાજ્યમાં સાધુ સમાજમાં મંત્રી તરીકે સેવાઓ આપી હતી. વર્ષ 1993માં તેમણે મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી.

ડાયમંડ રિંગ ચોરી રહેલાં શખ્સને સેલ્સ ગર્લે આ રીતે પકડાવ્યો

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : funeral of maninagar kumkum swaminarayan temple mahant anandpriydasji held at hirapur kukum seve kendra
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *