[ad_1]
હાઈલાઈટ્સ:
- દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ ચલાવી લેવાશે નહીં: બજરંગ દળ
- રિંગ રોડ પર આવેલી રેસ્ટોરન્ટ ઉપર બેનર લગાડવામાં આવ્યું હતું
- બજરંગ દળ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને આવું ન કરવાની ચેતવણી
પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લગાવતા હોબાળો મચી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર રિંગ રોડ સ્થિત ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના નામે બેનર પ્રિન્ટ કરવામાં આવ્યા હતા. સુરત બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્થળ ઉપરથી જ બેનરો દૂર કરીને ફાડી નાખવામાં આવ્યા હતા અને તેને સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બજરંગ દળે બેનર ફાડીને સળગાવી દીધા, રેસ્ટોરરન્ટ માલિકને આપી ચેતવણી
સમગ્ર મામલે બજરંગ દળનું કહેવું છે કે, કાર્યકર્તાઓ દ્વારા અમને બેનર અંગે ખબર પડી હતી. જેથી અમે સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર દેખાતા નીચે ઉતારી સળગાવી દેવાયાં હતાં. બજરંગ દળના સભ્યએ કહ્યું કે, દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય અને સાથે જ રેસ્ટોરન્ટ માલિકને ચેતવણી આપી હતી કે, હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.
[ad_2]
Source link
Leave a Reply