[ad_1]
હાઈલાઈટ્સ:
- 2004થી અલગ રહેતા દંપતીના વૃદ્ધાવસ્થામાં સાથે રહેવાના નિર્ણયથી પરિવારમાં ખુશીનો માહોલ
- મુંબઈવાસી પતિ પાસે પોતાના અને ત્રણ બાળકોના ભરણપોષણ માટે લડત આપી રહી હતી પત્ની
- મંગળવારે કોર્ટની સામે યુદ્ધમાં કોઈ જીતતું નથી તે ન્યાયે ગઈ ગુજરી ભૂલી બંનેએ સમાધાન કર્યું હતું
મીડિયા રિપોર્ટ મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેને (નામ બદલ્યું છે) લગ્ન મુંબઈમાં રહીને ડોક્યાર્ડની નોકરી કરતા સંજયભાઈ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નજીવનથી દંપતીને ત્રણ પુત્રોના જન્મ થયા બાદ એકાએક પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં પત્નીએ સંતાનો સાથે પિયરમાં આશરો લીધો હતો. વર્ષ 2004થી પતિની વિરુદ્ધ સુમિત્રાબેને પોતાના તથા ત્રણ પુત્રો માટે ભરણ-પોષણ મેળવવા માટે સુરત ફેમિલી કોર્ટની સ્થાપના થઈ ત્યારથી કાનુની જંગ છેડ્યો હતો.
શરૂઆતમાં સુમિત્રાબેનને મહિને 1000 તથા સંતાનોને 600 લેખે ભરણ પોષણ ચૂકવવા પતિને કોર્ટે હુકમ કર્યો હતો. જેમાં છેલ્લા 17 વર્ષથો દરમિયાન ત્રણથી ચાર તબક્કે ભરણ પોષણની રકમ વધારવા માટે પત્નીએ કાનૂની જંગ ચાલુ રાખ્યો હતો. હાલમાં ત્રણેય પુત્રોની ઉંમર એવરેજ 35 વર્ષ છે અને ત્રણેયના લગ્ન થઈ ગયા છે, ત્રણેય સંતાનોના લગ્નમાં બંનેએ હાજરી પણ આપી હતી. બીજી તરફ સંજયભાી પણ નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા છે.
આ દરમિયાન મંગળવારે ત્રણેય સંતાનો પરણી ગયા છે, જીવવનો છેલ્લો તબક્કો છે, ત્યારે ક્યાં સુધી ઝઘડો કરવાનો? કહીને 60 વર્ષીય સુમિત્રોબેને તથા પતિ સંજયભાઈએ વૃદ્ધાવસ્થાના આખરી પડાવમાં સમાધાનકારી વલણ અપનાવીને ફરીથી સાથે રહેવાનો નિર્ણય કરતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે.
[ad_2]
Source link