south african: દક્ષિણ આફ્રિકાથી બેંગ્લુરુ આવેલા 2 યાત્રી પોઝિટિવ, કોરોનાના નવા વેરિયન્ટથી રાજ્યો એલર્ટ – two south african nationals have tested positive for the coronavirus, and their samples have been sent for further tests

[ad_1]

હાઈલાઈટ્સ:

  • તેઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
  • વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું તેઓ ઓમાઈક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં?
  • મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ શનિવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી છે.

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમાઈક્રોન સંબંધિત ચિંતાનો માહોલ છે. કર્ણાટકના બેંગ્લુરુના રુરલ ડેપ્યુટી કમિશ્નર કે શ્રીનિવાસે જણાવ્યું કે પોઝિટિવ હોવાનું જાણવા મળેલા બંને યાત્રીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું તેઓ ઓમાઈક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં? આગામી 48 કલાકમાં તપાસનું પરિણામ આવી જશે. બંને પેસેન્જર્સને ક્વોરન્ટિન સેન્ટર્સમાં મોકલવામાં આવ્યા છે. શ્રીનિવાસે જણાવ્યું કે બેંગ્લુરુ એરપોર્ટ પર કોરોનાના 10 હાઈ-રિસ્કવાળા દેશોથી આશરે 584 લોકો ઉતર્યા છે. જેમાં 94 દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે.

શ્રીનિવાસે વધુમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા તમામ 94 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 2 પેસેન્જર્સ કોરોના પોઝિટિવ મળ્યા, તેઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. પ્રદેશમાં 2 કોરોના સંક્રમિત મળ્યા બાદ કોરોનાની મહામારીના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ શનિવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રી ડીકે સુધાકર સિવાય અન્ય ઘણાં મંત્રી સામેલ થશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને પણ આ મીટિંગમાં સામેલ થવાનું જણાવાયું છે.
કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે મીટિંગ, PM મોદીએ કહ્યું- ઈન્ટરનેશનલ ફ્લાઈટ અંગે ફરી રિવ્યુ કરો
અહીં નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશેની જાણ થતાં દુનિયામાં ઊભી થયેલી આશંકાઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોએક્ટિવ રહેવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે લોકો વધારે સાવધાન રહે અને માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોએક્ટિવ રહેવા અને બચાવ માટેના ઉપાયોનું પાલન કરવાની સાથે-સાથે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ધ્યાન રાખવાની આવશ્યકતા વ્યક્ત કરી છે. પીએમઓના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને જણાવ્યું કે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર નજર રાખવાની સાથે-સાથે ‘જોખમ’ ધરાવતા દેશોમાંથી આવતા લોકોની દિશા-નિર્દેશ મુજબ તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખતા અધિકારીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હટાવવાની યોજનાની સમીક્ષા કરવાનું પણ કહ્યું.

15 ડિસેમ્બરથી શરૂ થશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ

કોરોના વાયરસના નવા વેરિયન્ટના ટેન્શન દરમિયાન ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ફરી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટસ શરૂ કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને શુક્રવારે જણાવ્યું કે ભારત આવતી-જતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ 15 ડિસેમ્બરથી સામાન્યરૂપે સંચાલિત થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *