shaurya chakra: ગોળી વાગી છતાંય આતંકીઓ સામે લડતાં રહ્યા કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન, શોર્ય ચક્રથી થયા સન્માનિત – shaurya chakra crpf constable zakir hussain awarded by shaurya chakra

[ad_1]

હાઈલાઈટ્સ:

  • CRPFની ટીમ માહિતી મુજબ આતંકીઓ ખાતમો કરવા પહોંચી હતી
  • આતંકીઓ દ્વારા ટીમ પર ગોળીબારીમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈનને ગોળી વાગી હતી
  • આ અથડામણમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન અને ટીમમાં સામેલ Dep. Commandant હર્ષપાલ સિંહ ઇજાગ્રસ્ત થયા હતા

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બારામૂલામાં આતંકવાદીઓને ખાતમો કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા CRPFના કોસ્ટેબલ ઝાકિર હુસૈનને સોમવારે શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈન સીઆરપીએફની એ ટીમનો હિસ્સો હતા, જેણે સપ્ટેમ્બર 2018માં એક મકાનમાં છુપાયેલા જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ દરમિયાન કોસ્ટેબલ ઝાકિર હુસૈનને ગોળી વાગી હતી એમ છતાં તેઓ આતંકીઓનો ખાતમો થાય ત્યાં સુધી લડતાં રહ્યા હતા.

માહિતી મુજબ, 13 સપ્ટેમ્બર 2018એ સવારે 10.55 વાગ્યે બારામૂલાના ધીરતી ગામના એક મકાનમાં 3 વિદેશી આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે સીઆરપીએફની એક ટીમ આતંકીઓનો ખાતમો કરવા માટે નીકળી પડી હતી. આ ટીમમાં કોસ્ટેબલ ઝાકિર હુસૈન પણ સામેલ હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર ઘાતક હુમલો કરતાં ગોળીબારી કરી હતી, જેમાં કોસ્ટેબલ ઝાકિર હુસૈનને ગોળી વાગતાં એ ગંભીર રીતે ઇજા પામ્યા હતા.

આ દરમિયાન સીઆરપીએફની ટીમે આતંકીઓને જડબાતોડ જવાબ આપતાં સામે ફાયરિંગ શરુ કર્યું હતું. જેમાં એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો અને અન્ય બે ઘાયલ થયા હતા. આ અથડામણમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન અને ટીમમાં સામેલ Deputy Commandant હર્ષપાલ સિંહને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ આતંકીઓના ખાતમા સુધી તેઓ લડતાં રહ્યા, જે પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

સીઆરપીએફના કોન્સ્ટેબલ ઝાકિર હુસૈનની વીરતાને જોતાં તેમને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નિર્દોષોની હત્યા કરી રહેલા આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી, કુલગામમાં પાંચ આતંકીઓનો ખાતમો8 કલાક 30 મિનિટ.. ગઢચિરોલીમાં તે દિવસે શું થયું? કમાન્ડોની આપવીતી હચમચાવી દેશે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *