schools reopen: ધો. 1થી 5ના વર્ગોમાં પહેલા દિવસે પાંખી હાજરી પરંતુ વિદ્યાર્થીઓના ચહેરા પર દેખાયો ઉત્સાહ – attendance was thin at school on the first day for classes 1 to 5 students

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 21મી નવેમ્બરે દિવાળી વેકેશન ખતમ થયા બાદ ધોરણ 1થી 5ના વર્ગખંડો ખૂલ્યા
  • ધોરણ 1થી 5 માટે વિદ્યાર્થીઓની સૌથી વધારે હાજરી તાપી જિલ્લામાં નોંધાઈ
  • લાંબા સમયથી બંધ પડેલા વર્ગખંડો બાળકોના કિલકિલાટથી ફરી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સોમવારથી ધોરણ 1થી 5 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે પરંતુ સરકારી શાળાઓમાં ઓછી હાજરી જોવા મળી હતી. કેટલીક ખાનગી શાળાઓએ હજી આ ધોરણ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું નથી.

રાજ્ય સરકારે રવિવારે અચાનક જાહેરાત કરી હતી કે, 21 નવેમ્બરે દિવાળી વેકેશન ખતમ થયા બાદ તરત જ એટલે કે સોમવારથી ધોરણ 1થી 5 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

લગ્ન સીઝન શરૂ થતાં જ સક્રિય થઈ ચોરી કરતી ગેંગ, દાગીના-રૂપિયાનું ખાસ ધ્યાન રાખવું
સ્કૂલના સત્તાધીશો પાસે તૈયારી કરવા માટે ખૂબ ઓછો સમય હતો કારણ કે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે પાછા મોકલતા પહેલા શાળાઓમાં સંમતિ પત્ર જમા કરાવવાની જરૂર પડે છે.

‘રાજ્યમાં સરકારી શાળામાં આશરે 15 ટકા હાજરી નોંધાઈ હતી’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ‘સૌથી વધારે હાજરી તાપી જિલ્લામાં જ્યારે ઓછી હાજરી વડોદરા જિલ્લામાં નોંધાઈ હતી’.

એએમસી બોર્ડ કમિશનર એલ.ડી. દેસાઈએ કહ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં 65 ટકાની હાજરી સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 1થી 5ના 1 લાખ વિદ્યાર્થીઓમાંથી પહેલા દિવસે 32,500 હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ-19 ગાઈડલાઈન્સ પ્રમાણે, સ્કૂલોમાં ક્લાસમાં કુલ સંખ્યાના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને જ બેસાડવાની મંજૂરી છે. સ્કૂલોએ આટલી મોટી સંખ્યામાં વાલીઓની સંમતિ કેવી રીતે મેળવી તેમ પૂછતાં દેસાઈએ કહ્યું હતું કે, શિક્ષકો સંમતિ પત્ર લેવા માટે વિદ્યાર્થીઓના ઘરે ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવા ન તો વાલીઓ કે ન તો સ્કૂલોને પૂરતો સમય મળ્યો હતો.

CMને કંઈ ખબર ન પડતી હોય તો તમે શું કરવા છો મિ.સેક્રેટરી? SC રાજ્ય સરકારનો ઉધડો લીધો
અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ હિતેશ પટેલે કહ્યું હતું કે, પહેલા દિવસે સ્કૂલોમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહી શક્યા હતા. ‘પરંતુ માતા-પિતા તેમના બાળકોને સ્કૂલે મોકલવા માટે ખૂબ ઉત્સાહિત છે અને અમે આશા રાખી રહ્યા છીએ કે આગામી કેટલાક દિવસોમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલે જવાનું શરૂ કરશે’.

એક વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે, ‘સોમવારનો દિવસ મોટો બની રહ્યો હતો અને આ બધું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું હોવાના સ્કૂલ તરફથી મળેલા મેસેજને આભારી છે. હું મારા દીકરાને સ્કૂલે મૂકવા ગઈ ત્યારે તેના ચહેરા પર જે સ્મિત અને આંખોમાં ચમક હતી તે જોઈને મને ખુશી થઈ હતી. મને લાગે છે કે બાળકોને ફરીથી સ્કૂલે મોકલવાનો આ જ યોગ્ય સમય છે’.

અન્ય એક વાલીએ કહ્યું હતું કે ’18 મહિના બાદ જ્યારે હું મારી દીકરીને સ્કૂલે મૂકવા ગઈ ત્યારે ખુશ હતી. સરકારે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે તેને હું આવકારું છું’.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *